SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કેટલી વાર મહાતપસ્વીને સમાધિ આપવા સ્વયં ચાલીને આવે છે.' હા, નહીંતર સ્થવિર તાપસીને કહી દે કે “એ મહાતપસ્વીને સમતાસમાધિ આપતા રહેજો.” પરંતુ ભાઈ, આપણને તો ખૂબ દુઃખ લાગે છે. મહાતપસ્વી કુલપતિનાં વચનોનો અનાદર કરે છે. તે ઉચિત નથી.” ક્રોધ અનાદર કરાવે છે...' હા મહારાજા ગુણસેન પ્રત્યે તીવ્ર રોષ પ્રગટ્યો છે મહાતપસ્વીના મનમાં...' પરિણામ?' ‘તપનો નાશ, સદ્ગતિનો નાશ...' ત્રીજા તાપસવંદનો વાર્તાલાપ : મહારાજા ગુણસેન જેવો વિનમ્ર, ભક્ત અને સરળ રાજા આપણે તો બીજો કોઈ જોયો નથી.' જો એમણે મહાતપસ્વીને પારણા માટે વિનંતી જ ના કરી હોત તો આ પરિસ્થિતિ ઊભી ના થાત.” ભક્તહૃદય રાજા વિનંતી કર્યા વિના કેમ રહે? શું કરે રાજા? અચાનક પારણાના જ દિવસે ભયંકર શિરોવેદના ઊપડી... પારણાના ઠ દિવસે.. એ જ સમયે યુદ્ધ માટે પ્રયાણ કરવાનું થયું... ને ત્રીજા પારણાના દિવસે જ રાજકુમારનો જન્મ થયો.” આમાં મહારાજાની તમને કોઈ ભૂલ દેખાય છે?' રાજાની ભૂતકાળમાં થયેલી ભૂલોને, મહાતપસ્વીએ આ ભૂલ સાથે સાંકળી લઈને - “આ રાજા મને ભૂખે મારી નાંખવા ઈચ્છે છે. એવો નિશ્ચય કરી લીધો...” અનશન કરી લીધું...” “આત્માના કલ્યાણની ભાવનાથી નહીં, રાજા પ્રત્યેના વેપથી અનશન કર્યું છે.... તાપસધર્મથી વિપરીત કામ કર્યું છે..' એનાં કર્મો જ એને ભુલાવે છે...” કુલપતિએ તો એને સમજાવવા ઘણા પ્રયત્નો કર્યા, પરિણામ નથી આવ્યું. ચાલો, આપણે સમજાવીએ.... કદાચ સમજી જાય તો એનું આત્મહિત થાય..' તાપસવંદ અગ્નિશમ પાસે આવ્યું. ધીરે ધીરે સેવક તાપસો અગ્નિશર્માના દેહ પર હાથ પસરાવતા હતા. અગ્નિશર્માની આંખો ખુલ્લી હતી. તે સંપૂર્ણતયા ભાનમાં હતો. તાપસવંદ એને ઘેરીને બેસી ગયું. એક પ્રૌઢ તાપસે લાગણીભર્યા સ્વરે કહ્યું : “રે મહાત્મનું, આપે ઘોર તપશ્ચર્યા કરી છે. ઋષિ-મુનિઓ આત્માની મુક્તિ માટે જ તપ કરતા હોય છે. તે માટે તેઓ સમતા-સમાધિ સાથે તપ કરે છે. તમે પણ તમારા મનને સમભાવમાં રાખો. શત્રુ૧૪ ભાગ-૧ ૪ ભવ પહેલો For Private And Personal Use Only
SR No.008950
Book TitleSamaraditya Mahakatha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2007
Total Pages523
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy