SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મસ્તકે વાત્સલ્યથી હાથ ફેરવતા તેઓ બોલ્યા : “વત્સ, ગૃહવાસમાં ઘણા-ઘણાં વર્ષો રહ્યાં અમે. પાંચ ઇન્દ્રિયોનાં ઉત્કૃષ્ટ સુખો અમે ભોગવ્યાં... પ્રજાનું પાલન કર્યું. રાજ્યની રક્ષા કરી... આ જીવનનાં સાંસારિક કર્તવ્યો હવે પૂરાં થયાં. હવે આત્મકલ્યાણ માટે અમારે પ્રવૃત્ત થવું જોઈએ. કારણ કે આરોગ્ય ચંચળ છે, આયુષ્ય અનિશ્ચિત છે. અને શરીરબળ અસ્થિર છે.. ક્યારે શરીર રંગોથી ઘેરાઈ જાય, ક્યારે શરીરબળ ક્ષીણ થઈ જાય અને ક્યારે આયુષ્યનો દીવો બુઝાઈ જાય . તેની ખબર નથી... માટે જ્યાં સુધી બળ, આરોગ્ય અને આયુષ્ય નિરાબાધ છે ત્યાં સુધી આત્મહિત સાધી લેવું જોઈએ.' મહારાજાની વાણીમાં પારલૌકિક પરમ હિત સાધવાના નિર્ણયનો રણકાર હતો. હૃદયમાં ઉછળતા વૈરાગ્યના સાગરનો ઘુઘવાટ હતો. તેમણે વાત્સલ્યથી ભીની વાણીમાં કહ્યું : વત્સ, લાખો વર્ષ પૂર્વેનો આવો જ પ્રસંગ મારી સ્મૃતિમાં આવે છે. મારા માતાપિતાએ પણ આ જ રીતે ગૃહવાસનો ત્યાગ કર્યો હતો... આ જ રીતે હું દુઃખી હૈયે રડ્યો હતો. પરંતુ વત્સ, હું ત્યારે મોટો અપરાધી હતો... તું નિરપરાધી છે. ત્યારે મારાથી પિતાજી ઘણા દુઃખી હતા. આજે તારાથી હું ઘણો સંતુષ્ટ છું. ત્યારે માતાપિતાએ અરણ્યવાસ સ્વીકાર્યો હતો, આજે અમે બે-તારાં માતા-પિતા, મહાપ્રવ્રજ્યાના મોક્ષમાર્ગે જઈએ છીએ. વત્સ, તું પ્રજાપ્રિય બન્યો છે. તારી પ્રજાવત્સલતાએ પ્રજાને ઘેલી કરી દીધી છે. તું રાજનીતિમાં પારંગત બનેલો છે. આ જ રાજનીતિથી રાજ્યનું સંચાલન કરજે . પ્રજાના ધર્મસ્વાતંત્ર્યને અબાધિત રાખજે. દુષ્ટોનો નિગ્રહ કરજે. સજ્જનોને સન્માન આપજે મહાજનને મહત્તર માની, એમની વાતોને ગંભીરતાથી સાંભળજે. તું વિચક્ષણ છે, તને વિશેષ શું કહું? સર્વજ્ઞ-વીતરાગ પરમાત્માના બતાવેલા ધર્મને તારા હૃદયમાં સ્થાપજે, તારા નાના ભાઈઓને પ્રેમથી સાચવજે. આપણું મંત્રીમંડળ આપણને પૂર્ણ વફાદાર છે. દરેક મહત્ત્વપૂર્ણ કાર્યમાં એમની સલાહ લેજે. તેઓ આપણા અને રાજ્યના હિતચિંતક છે, તે વાતનો વિશ્વાસ રાખજે.” વાતાવરણમાં હળવાશ આવી. કુમાર અને કુમારપત્ની બંને કંઈક સ્વસ્થ બન્યાં. મહારાજાએ કહ્યું : “કુમાર, રાજ્યમાં વસતા આપણા સ્નેહી સ્વજનોને નિમંત્રિત કરવાના છે. મિત્ર રાજાઓને અને આજ્ઞાંકિત રાજાઓને પણ આમંત્રણ આપવાનું છે. એ સર્વેનો મારે આદર-સત્કાર કરવો છે. અમે બંને શા માટે મહાપ્રવ્રજ્યાના માર્ગે જઈએ છીએ, એ વાત મારે એમને સમજાવવી છે. તે પછી રાજ્યના બધા જ અગ્રગણ્ય નાગરિકોનું સન્માન કરવું છે. ગરીબોને ઉપs ભાગ-૧ છે ભવ પહેલો For Private And Personal Use Only
SR No.008950
Book TitleSamaraditya Mahakatha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2007
Total Pages523
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy