SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જોઈએ. તો “સમાધિ-મૃત્યુપ્રાપ્ત થશે. મૃત્યુ મહોત્સવરૂપ બની જશે.' મારે મરવું નથી. મૃત્યુને ભેટવું છે! મૃત્યુને આલિંગન ત્યારે જ આપી શકાય, જો મૃત્યુ સમયે કાયા તપશ્ચર્યાથી પવિત્ર હોય, મનમાં સરળતા હોય, અનશન સ્વીકારેલું હોય, ગુરુદેવના ઉલ્લંગમાં મસ્તક હોય, પરમાત્માના ધ્યાનમાં લીનતા હોય, પ્રાણોના પ્રત્યેક સ્પંદને પરમાત્માનો જ ગુંજારવ હોય... મારા પરમ ઉપકારી, સન્માર્ગના દાતા ગુરુદેવ મારા માથે પોતાનો પ્રેમાળ હાથ ફેરવતા હોય. બસ, બીજું વધારે કાંઈ નહીં. એ વખતે મૃત્યુના આલિંગનમાં હું સમાઈ જાઉં. આવું “સમાધિમૃત્યુ' મારે જોઈએ... હવે મારે દુઃખરૂપ અને દુઃખફલક આ ઘરવાસનો ત્યાગ કરી, અનંત ઉપકારી ગુરુદેવ આચાર્યશ્રી વિજયસેનનાં ચરણોમાં જીવન સમર્પિત કરવું જોઈએ. અચિંત્ય ચિત્તામણિ-રત્ન સમાન અણગારપણું અંગીકાર કરવું જોઈએ. સર્વજ્ઞ ભગવંતોએ બતાવેલું સાધુજીવન કેવું નિષ્પાપ અને નિર્મળ જીવન છે! મનથી પણ કોઈ જીવને પીડા આપવાની નહીં. સમગ્ર જીવસૃષ્ટિને મિત્ર માનવાની. અસત્ય બોલવું જ ન પડે, તેવી પારમાર્થિક ઉત્તમ જીવનપદ્ધતિમાં ચોરી જ ના કરવી પડે તેવું ઇચ્છાઓ ને કામનાઓથી મુક્ત જીવન! મનમાં મૈથુનનો વિચાર જ ના જન્મ તેવું અવિકારી તત્ત્વચિંતન અને પરપદાર્થો પ્રત્યેની નિઃસ્પૃહતાથી સદૈવ અકિંચનતા... અપરિગ્રહતા...! મારા ગુરુદેવ આવા જ શ્રેષ્ઠ શ્રમણ્યને સહજતાથી જીવે છે. મારે પણ એવું શ્રામય જોઈએ છે. કોઈ પણ દોષ વિનાની પ્રાસુક ભિક્ષાથી જીવનનિર્વાહ કરવાનો, ભોજનની ના નિદા કરવાની, ના પ્રશંસા કરવાની... પરિમિત અને કાલોચિત ભોજન કરવાનું... સ્વાદને માણ્યા વિના કોળિયા ગળે ઉતારી જવાના... નીચે જોઈને ચાલવાનું, નિરવદ્ય વચન બોલવાનું, વારે-વારે પ્રમાર્જન કરવાનું.. જ્ઞાન-ધ્યાનમાં લીન રહેવાનું! જ મન-વચન-કાયાને પાપોમાં પ્રવર્તાવવાના નહીં! ક ઉપવાસ, આયંબિલ આદિ તપશ્ચર્યા કરવાની, સુધા કરતાં ઓછું ખાવાનું, રસત્યાગ કરવાનો, ક જાણી-સમજીને શરીરને કષ્ટ આપવાનું... સ્થિર આસને પદ્માસને કે સિદ્ધાસને બેસીને, નાસિકાના અગ્ર ભાગે દૃષ્ટિ સ્થાપીને... અરિહંત પરમાત્માનું ધ્યાન કરવાનું. ૧૪૮ ભાગ-૧ * ભવ પહેલો For Private And Personal Use Only
SR No.008950
Book TitleSamaraditya Mahakatha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2007
Total Pages523
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy