SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org વાત્સલ્ય નીતરતું હતું....! અને, કેવળજ્ઞાની બનીને... એમણે વિભાવસુની. કૂતરાના ભવથી માંડીને એની મુક્તિ સુધીની જે ભવયાત્રા બતાવી. તે તો મારા પર એમણે ૫૨મ ઉપકાર કર્યો હતો. એમણે મને જગાડી દીધો હતો. ગૃહવાસ પ્રત્યે તીવ્ર વૈરાગ્ય જન્માવી દીધો હતો. Acharya Shri Kailassagarsuri Gyanmandir મહારાજા ગુણસેને પૂછ્યું : ‘ભગવંત, પર્વતની ગુફામાં આપને એ ચાર મહામુનિનો મેળાપ થયો, એ અકસ્માત હતો... કે આપના પૂર્વજન્મના કોઈ પુણ્યકર્મનું પરિણામ હતું? શું પૂર્વજન્મમાં એ ચાર મુનિવરો સાથે કોઈ સંબંધ હશે આપનો?’ આચાર્ય ભગવંતે કહ્યું : ‘રાજન, કેવળજ્ઞાની મુનિવરોને જો મેં જ આ પ્રશ્ન પૂછ્યો હોત તો એનું સમાધાન થાત, પરંતુ મારા મનમાં આવો કોઈ પ્રશ્ન જ ઊઠ્યો નહોતો. કારણ કે હું તો મારા મિત્ર વિભાવસુની દુઃખમય ભવપરંપરા સાંભળીને જ મૂઢ થઈ ગયો હતો! બીજો કોઈ પ્રશ્ન પૂછવાની સ્થિતિમાં જ ન હતો. પરંતુ એક વાત નિશ્ચિત છે કે પૂર્વજન્મના સ્નેહસંબંધ વિના એમના પ્રત્યે મારું આટલું બધું આકર્ષણ ન હોત. જો કે મારું આકર્ષણ એમના વિશિષ્ટ ગુણો પ્રત્યે હતું. છતાં મને તેમની વાણી ગમતી હતી. તેમની સૌમ્ય મુખાકૃતિ ગમતી હતી... એમનું બધું જ ગમતું હતું! માટે પૂર્વજન્મના સ્નેહ-સંબંધનું અનુમાન કરી શકાય. આ જન્મમાં, મહામુનિઓના રૂપમાં એમનો મેળાપ મને થયો, એમાં નિમિત્ત મારું પુણ્યકર્મ ખરું જ. ઉત્કૃષ્ટ પુણ્યકર્મ વિના આવી શ્રેષ્ઠ વિભૂતિનો મેળાપ ન જ થાય... મને માત્ર એમનો મેળાપ જ થયો, એટલું જ ન હતું, એ મેળાપ સાર્થક થયો હતો. એમની પાસેથી મને સાચું જ્ઞાન મળ્યું હતું. મારા આત્માને ઉદાત્ત પ્રેરણાઓ મળી હતી. અધ્યાત્મ માર્ગનો પરિચય મળ્યો હતો... ભવવાસ પ્રત્યે વૈરાગ્ય પ્રગટ્યો હતો અને મુક્તિનો અનુરાગ જામ્યો હતો. એટલે જ, વિભાવસુનું અત્યંત દુઃખદાયી ભવિષ્ય સાંભળીને, એ જ મારા આરાધ્ય મુનિવરો પાસેથી સાંભળીને... મારું મન તીવ્ર વૈરાગ્ય અનુભવવા લાગ્યું. મેં ગૃહવાસનો ત્યાગ કરવાનો સંકલ્પ કર્યો. રાજા ગુણસેને પૂછ્યું : ‘ભગવંત, અણગાર બનીને જ કષાયો પર વિજય મેળવી શકાય? ગૃહવાસમાં રહીને કષાયો પર વિજય મેળવવાના ઉપાય નથી?' મમ આચાર્યદેવે કહ્યું : ‘મહાનુભાવ, ગૃહવાસમાં કષાયો પર વિજય મેળવવો દુષ્કર હોય છે. સંયોગો અને વાતાવરણ જીવ પર અસર કરે છે. ગૃહવાસના સંયોગો... પ્રસંગો વિચિત્ર હોય છે. વાતાવરણ વિષમ હોય છે, ત્યાં કષાયો પર વિજય મેળવવો ભાગ-૧૦ ભવ પહેલો For Private And Personal Use Only
SR No.008950
Book TitleSamaraditya Mahakatha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2007
Total Pages523
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy