SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આ મનુષ્ય લોકમાં સુખ ક્યાં છે? કેટલું છે? માત્ર સુખાભાસ છે... મૃગજળ છે... ઇન્દ્રજાળ છે.' રાજા ગુણસને પૂછ્યું : “ભગવંત, આવી જ્ઞાનદષ્ટિ, આપને કોઈ પ્રસંગ પામીને, કોઈ નિમિત્ત પામીને ખૂલી હશે ને? ને કોઈ મહાજ્ઞાનીના સમ્યફ પરિચયથી ખૂલી હશે?” આચાર્ય ભગવંતે કહ્યું : રાજન, એવું નિમિત્ત પણ મળ્યું હતું અને એવા એક મહાજ્ઞાની મહાત્માનો પરિચય પણ થયો હતો! ધણી રોમાંચક છે એ ઘટના! ઘણી રસમય છે મારા જીવનની એ કથા-વ્યથા!' “પ્રભો! એ સાંભળવાની જ મારી જિજ્ઞાસા છે. સંભળાવવાની કૃપા કર.” સાંભળો મારી આત્મકથા : આજ પશ્ચિમ મહાવિદેહમાં “ગંધાર’ નામનો દેશ છે. તેમાં “ગંધારપુર' નામનું નગર છે. એ નગરનો નિવાસી હું ‘વિજયસેન' નામનો રાજકુમાર હતો. રાજપુરોહિત સોમવસુનો પુત્ર વિભાવસુ' મારો પ્રાણપ્રિય મિત્ર હતો. અમારી મૈત્રીની પ્રશંસા સમગ્ર નગરમાં થતી હતી, અમે સાથે રમતા, સાથે જમતા, સાથે ફરતા. અને સાથે સૂઈ જતા હતા. પરંતુ જાણે કે અમારી મૈત્રીને કોઈની નજર લાગી, કે ગમે તે થયું... મારો એ મિત્ર વિભાવસુ એક દિવસ અચાનક જ રોગગ્રસ્ત થઈ ગયો. વિભાવસુને રોગમુક્ત કરવા મેં ઘણા ઘણા ઔષધોપચાર કરાવ્યા. પરંતુ તેને સારું ન થયું... રાત-દિવસ હું એની પાસે જ રહેતો હતો. ધીરે ધીરે એ મૃત્યુ તરફ ઢસડાતો જતો હતો.. મારા દુઃખ અને સંતાપનો પાર ન હતો. એક દિવસ એનું મૃત્યુ થઈ ગયું. એનો અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો. મારું મન મિત્રની સ્મૃતિમાં અત્યંત વ્યાકુળ રહેતું હતું. મારું હરવાનું-ફરવાનું બંધ થઈ ગયું હતું. સારું ખાવાનું-પીવાનું-પહેરવાનું મેં છોડી દીધું હતું. મારું જીવન સાવ નીરસ બની ગયું હતું. મારાં સ્વજનો, સ્નેહીજનો અને પ્રજાજનો... મારા પ્રત્યે ખૂબ જ સહાનુભૂતિ ધરાવતાં હતાં. મારાં સ્વજનો જાણતાં હતાં કે અમને બંને મિત્રોને સાધુપુરુષો પાસે જવાનું, એમનો પરિચય કરવાનું અને એમની સેવા કરવાનું ગમતું હતું. એક દિવસે મારા ખંડમાં હું નિરાશ વદને બેઠો હતો, ત્યાં મહામંત્રીએ આવીને મને કહ્યું : “કુમાર, તમને ગમે એવા સમાચાર આપવા આવ્યો છું.” મેં ઊભા થઈ, મહામંત્રીનું સ્વાગત કર્યું. તેઓ મારી સામે ભદ્રાસન પર બેઠા, અને મને કહ્યું : કુમાર, ગામ-નગરમાં વિહાર કરતા-કરતા ચાર મુનિવરો, નગરથી થોડે દૂર જે ભાગ-૧ * ભવ પહેલો For Private And Personal Use Only
SR No.008950
Book TitleSamaraditya Mahakatha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2007
Total Pages523
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy