SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શક્તિ છે, તો મારી પાસે તપશ્ચર્યાની અપૂર્વ શક્તિ છે. મારી શક્તિથી એને કચડી નાંખીશ.' બંને ધ્રુજતા હાથે મુઠ્ઠી વાળી.... આકાશમાં મુઠ્ઠી ઊછાળતો જલદી જલદી ચાલતો. તપોવનમાં પ્રવેશીને, પોતાના સ્થાને જઈને બેઠો. ન ગયો કુલપતિ પાસે કે ન મળ્યો કોઈ તાપસને. અશાંત, ઉદ્વિગ્ન અને સંતપ્ત અગ્નિશર્માનું ચિત્ત આર્તધ્યાન રૌદ્રધ્યાનમાં બદલાઈ ચૂક્યું છે. સતત દ્વેષ, વૈર અને રોષથી તેની ગોળ-ગોળ આંખોમાંથી જાણે આગના તણખા ખરતા હતા. તેના બંને જાડા જાડા હોઠ ફફડતા હતા. જાણે તેમાંથી ક્રોધનો લાવા વહી રહ્યો હતો : એ દુષ્ટને, આટલા બધા તાપસોમાં હું જ એકલો ઉપહાસ-પાત્ર મળ્યો? મારા તરફ એ ક્રૂર કાળજાના રાજાને આટલો તીવ્ર દ્વેષ શા માટે? પારણા અંગેની મારી પ્રતિજ્ઞા એ જાણે છે. છતાં એ કપટી રાજા, સહુની આગળ વિનમ્રતા અને ભક્તિનો ડોળ કરીને મને પારણા માટે નિમંત્રણ આપે છે અને પારણું કરાવતો નથી... મને હલકો પાડે છે.. કેટલો મૂઢ છે એ રાજા ..? પહેલાં બાલ્યકાળમાં... તરુણ અવસ્થામાં તો હું સંસારી હતો, ઠીક છે, એ વખત એણે મારી ઘોર કદર્થના કરી છતાં મેં મારા કર્મનો દોષ સમજી... તેના પ્રત્યે દ્વેષ નહોતો કર્યો. પરંતુ અત્યારે તો હું સાધુ છું, તાપસ છું. છતાં તે મને ત્રાસ આપે? મને દુઃખી કરે? પરંતુ એમાં એનું કોઈ પરાક્રમ નથી. અનાથ, દુર્બળ અને પરાભૂત મનુષ્યોને દુઃખી કરવામાં, ત્રાસ આપવામાં.... કે મોતને ઘાટ ઉતારી નાંખવામાં કોઈ બહાદુરી નથી. તેમાંય, જે મહાત્માઓ શત્રુમિત્ર પ્રત્યે સમાન ભાવવાળા છે અને પરમાર્થની સાધનામાં નિરંતર તલ્લીન છે, તેવા તપસ્વીઓને કષ્ટ આપવામાં એ રાજાનું પરાક્રમ નથી. એની કાયરતા છે, એની અધમતા છે. પણ એને એના આ ઘોર પાપની બરાબરની શિક્ષા હું કરીશ. હવે એ દુષ્ટને ક્ષમા ન આપી શકાય. સજ્જનોની ક્ષમા, દુર્જનોની દુર્જનતાને પ્રોત્સાહન આપે છે. ખેર, મને આટલું દુઃખ શાથી થયું? હજુ મેં આહારનો સંગ છોડ્યો નથી.. મહિને-મહિને મેં આહારની ઇચ્છા રાખી છે. માટે મારે આટલી કદર્થના સહવી પડી છે. આવાં ઘોર અપમાન.. આહારના પાપે સહવાં પડ્યાં છે, માટે હવે... આજથી માવજીવ... જીવનપર્યત આહારનો ત્યાગ છે. હું અનશન સ્વીકારું છું.' 0 ૦ ૦ અગ્નિશર્મા ક્યારે તપોવનમાં આવ્યો ને ક્યારે પોતાની જગા પર જઈને બેસી ગયો, એની જાણ કોઈ પણ તપોવનવાસીને થઈ ન હતી. સર્વે તાપસો, અગ્નિશર્માના પારણા માટે આશ્વસ્ત હતા. એક મહિનાથી સતત રાજાની ભક્તિ અને સેવા જોઈને શ્રી સમરાદિત્ય મહાકથા For Private And Personal Use Only
SR No.008950
Book TitleSamaraditya Mahakatha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2007
Total Pages523
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy