SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હિતી આરતી ઉતારે પણ આ રીતે ફી તમે ક્યારેય પરમાત્માની આરતી ઉતારી છે ખરી? મંદિરમાં - દેરાસરમાં દરરોજ સાંજ પડે આરતીના ઘંટ સંભળાય છે... દીવા ઝળુંઝળું થાય છે. નગારે ઘા દેવાય છે, ક્યાંક શંખ પુરાય છે. અને મીઠા સૂરો શબ્દોમાં આરતી ઉતારાય છે. જાણો છો શા માટે આરતી ઉતારવાની છે? આપણા અંતઃકરણની આર્તતા. વ્યથા, પીડાને દૂર કરવા માટે આરતી ઉતારવાની છે. અરતિ-દુઃખ જેનાથી દૂર થાય તેનું નામ આરતી! પણ જો જો આરતી ઉતારતી વેળા હૈયું એકદમ આર્દ જોઈએ, દિલ ખૂબ જ કોમળ જોઈએ, પરમાત્માના મિલન માટે હૈયું હલબલી ઊઠે, દિલમાં ભાવનાઓના જુવાળ ખળભળી ઊઠે, ત્યારે જે આરતી ઊતરશે, એ આરતી ખરેખર અરતિને દૂર કરનારી હશે! પછી ભલે ને આરતી માની ઉતારો કે પરમાત્માની! આરતી એની જ ઉતારાય જેને પામવા માટે પ્રાણ તરફડતા હોય, જેને મળવા મન તલસતું હોય, જેને જોવા નજરું વહેતી હોય...હૈયામાં ભાવનાઓનો ધોધ, આંખોમાં હેતની હેલી ને હાથમાં આરતી.. સમજો, તમારી અરતિ દૂર થઈ જ જવાની! વિચાર પંખી For Private And Personal Use Only
SR No.008948
Book TitleVichar Pankhi
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2009
Total Pages154
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy