SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ દોષ અસંયમનો દોષ અધીરાઈનો સંયમજીવનને તાકાતહીન બનાવી દેતા એક જાલિમ દોષને આપણે બરાબર સમજી રાખવાની જરૂર છે. એ દોષનું નામ છે, અસંયમ. - બાલદીમાં જે હોનારત છિદ્ર સર્જે છે, એ જ હોનારત સંયમજીવનમાં ઇન્દ્રિયોનો અસંયમ સર્જે છે. પાંચે ય ઇન્દ્રિયોને જ્યાં જવું હોય ત્યાં જવા દેવી એનું નામ છે અસંયમ. કલ્પના કરો, એ મકાનનું થાય શું? કે જેની બધી જ બારીઓ ખુલ્લી પડી છે? એ બાલદીનું થાય શું? કે જેના તળિયે છિદ્રો જ છિદ્રો છે ? એ રથનું થાય શું? કે જેને જોડાયેલા ઘોડાઓ પર કોઈનો ય અંકુશ જ નથી ? ભૂલશો નહીં. ઇન્દ્રિયોનો અસંયમ વરસોના સંયમપર્યાયમાં એકઠી કરેલ તમામ શક્તિ-સગુણોનો સફાયો કરીને જ રહે છે. કેળવી લેશું આપણે ઇન્દ્રિયોનો સંયમ? સદ્યોગોના સેવનના પરિણામથી આપણને દૂર ધકેલી દેતો છે એક ભયંકર દોષ છે કે જેનું નામ છે, અધીરાઈ. હજારો-લાખો શ્લોકોના સ્વાધ્યાય કરી લીધો, મન સંલ્પ- 8 વિકલ્પોથી મુક્ત થશે ક્યારે ? વર્ધમાન તપની આટઆટલી ઓળીઓ ઝુકાવી દીધી, આહારસંન્નાનું જોર ઘટશે ક્યારે ? પ્રભુદર્શને આંખમાંથી આંસુઓ વહાવી દીધા. આંખના વિકારોમાં કડાકો છે બોલાશે ક્યારે ? દિલ દઈને ગુરુદેવની ભક્તિ કરી લીધી, # સ્વચ્છેદવૃત્તિમાં સફાયો બોલાશે ક્યારે ? બસ, જ્યાં આ ‘ક્યારે આવે છે, ત્યાં મન કાં તો શ્રદ્ધાહીન ! બની જાય છે અને કાં તો ઉત્સાહહીન બની જાય છે. છે આ પ્રાણઘાતક અસરથી સંયમજીવનને જો બચાવી લેવું છે જ | તો એક જ કામ કરો. અધીરા ન બનો.
SR No.008942
Book TitleTo Pachi Kyare
Original Sutra AuthorN/A
AuthorRatnasundarsuri
PublisherRatnasundarsuriji
Publication Year
Total Pages50
LanguageGujarati
ClassificationBook_Gujarati & Inspiration
File Size160 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy