SearchBrowseAboutContactDonate
Page Preview
Page 252
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org મીઠી-મધુર વાણીએ લોકોનાં મન જીતી લીધાં હતાં. એના સુપાત્રદાને સાધુ સાધ્વીઓને આકર્ષ્યા હતાં. Acharya Shri Kailassagarsuri Gyanmandir ખચોખચ ભરાયેલા ખંડમાં સુલસાના મુખેથી ગીત સરી પડ્યું : હવે વિદાયવેળા આવી, સમતા અંતર ભાવી પ્રભુ મારા છે પ્રભાવી, કૃપાને મેં અનુભાવી હવે દ્વાર ખુલો અનહદનાં, ગયાં વળગણ સહુ સરહદનાં, તૂટ્યાં બંધન મોહ-મદનાં, કરો ઉત્સવ જિનમતના. મળજો એવું જીવન મને, મળો ભવાંતરમાં તમે શું શક્ય છે? ના તમે, મોક્ષે જશો ને સંસારે અમે. બાકી આપનું છે, જીવોને ઉદ્ઘારવાનું આપના દિવ્ય સહારે શક્ય અન્યથા સર્વથા અશક્ય! વિસામો હતો આ જિંદગીનો ને અવકાશ તો બંદગીનો કરી જિંદગીમાં ખૂબ બંદગી સ કર્મોની ગંદકી ફામ છે . ટળી હવે વિદાયવેળા આવી... મૈત્રી ભાવના ભાવી. સુલસાને જાણ થઈ કે પ્રભુ વીરના પરમ પ્રિય શિષ્ય ઇન્દ્રભૂતિ ગૌતમ સાધુ સમુદાય સાથે ગુણશીલ ચૈત્યમાં પધાર્યા છે. સુલસા આનંદિત થઈ. ઉલ્લસિત થઈ. ‘હું ગણધર ભગવંત પાસે જાઉં અને એમને વિનંતી કરું કે, ‘હે પ્રભો, આપ મારી હવેલીમાં પધારો અને મને જીવનની અંતિમ આરાધના કરાવો. પછી મને અનશન કરાવો...ગણધર ભગવંત અવશ્ય મારી વિનંતીને માન્ય કરશે જ! અને હા, સંભવ છે કે પૂર્ણદ્રષ્ટા, પૂર્ણજ્ઞાની મારા પ્રભુએ જ મારા મૃત્યુને મહોત્સવરૂપ બનાવવા માટે જ કેમ ન મોકલ્યા હોય! અવશ્ય તેઓ મારા માટે જ પધાર્યા છે!' ૨૪૨ સ્નાન કરી, શુદ્ધ શ્વેત વસ્ત્ર ધારણ કરી, સાથે એક સખીને લઈ રથમાં બેસી સુલસા ‘ગુણશીલ' ચૈત્યમાં આવી! પ્રભુ વીરની મધુર સ્મૃતિઓથી એનું મન ભરાઈ આવ્યું. For Private And Personal Use Only સુલસા
SR No.008941
Book TitleSulsa
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2009
Total Pages267
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy