SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આજે તો સુલતાને બોલાવવા માટે રાજગૃહીના સન્માન્ય શ્રેષ્ઠીજનો સુલતાની હવેલીએ આવ્યા. સુલતાએ સહુનું ઉચિત સ્વાગત કર્યું. એક શ્રેષ્ઠીએ કહ્યું : “હે ધર્મનિષ્ઠ મહાસતી, વૈભારગિરિ ઉપર પધારેલા તીર્થકર ભગવાનના દર્શન-વંદન કરી તારાં કર્મોનો નાશ કર.' “હે મહાનુભાવો! શું એ ચોવીસમા તીર્થંકર પ્રભુ મહાવીર છે?' ના, આ તો પચ્ચીસમા તીર્થંકર છે! હે સુજ્ઞપુરુષો, તીર્થકરો ઉત્સર્પિણીકાળમાં ચોવીસ હોય અને અવસર્પિણી કાળમાં પણ ચોવીસ જ તીર્થંકર થાય. પચ્ચીસમા તીર્થંકર હોય જ નહીં!” “તો પછી આ બધું શું છે? સમવસરણ અને બધું જ છે!” આ તો કોઈ ઇન્દ્રજાલિકની ઇન્દ્રજાળ છે! માયા જાળ છે! લોકોને ઠગવા માટે, લોકોને પોતાની શક્તિથી આશ્ચર્યચકિત કરી દેવા માટે આ પ્રપંચ રચ્યો છે! એની ધર્મદેશના પણ કોઈ સ્વાર્થથી પ્રેરિત હશે!' બીજા શ્રેષ્ઠીએ કહ્યું : “હે દેવી સુલસા, આ રીતે પણ કોઈ જિનશાસનની પ્રભાવના કરે છે ને? જિનશાસનનું ગૌરવ વધારે છે ને? આ જ રીતે જિન શાસનની ઉન્નતિ થાય!” "ના, ના, આવી કૂડકપટથી ભરેલી ઘટનાઓથી જિનશાસનની પ્રભાવના નથી થતી, પરંતુ ઘોર અપભ્રાજના થાય છે. સમજો, આ જે કોઈ ચમત્કારિક પુરુષે તીર્થકરનું રૂપ કર્યું છે, તે વાસ્તવમાં તો તીર્થંકર નથી જ! એ ઇન્દ્રજાલિક છે. જ્યારે લોકોને ખબર પડશે કે ખરેખર આ તીર્થકર ન હતા, માત્ર તીર્થકરનું નાટક જ હતું તો લોકોની સાચા તીર્થકર ઉપરની શ્રદ્ધા પણ તૂટી પડશે. એ વિચારશે કે “મહાવીર પણ તીર્થકર હોવાનું નાટક જ કેમ નહીં કરતા હોય?' માટે આપણે આ માયાવી-ઇન્દ્રજાલિક લોકોથી દૂર રહીએ એ જ સારું!' આમ વિચારીને અબુધ લોકો ધર્મતીર્થથી દૂર થઈ જાય. - જિનશાસનની પ્રભાવનાનો સાચો માર્ગ આ નથી, ધર્મમાં સંશય પેદા કરે, તેવી ઘટનાને પ્રભાવના ન કહેવાય. લોકો પૂછશે - “ચોવીસમા તીર્થંકર ભગવાન મહાવીર સાચા કે આ પચ્ચીસમા તીર્થકર સાચા? ધર્મમાર્ગમાં આવો સંશય સમ્યગ્દર્શનને, શ્રદ્ધાને દૂષિત કરે છે. सावोचननकूट कोटिघटनैः संटीकते भावना, किंतु प्रत्युत धर्मसंशयकारी सैषा ह्यपभ्राजना।। સુલતા ૨૨૧ For Private And Personal Use Only
SR No.008941
Book TitleSulsa
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2009
Total Pages267
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy