SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ધન્ય હશે એ દિન-ઘડી, ખબર પડશે પ્રભો, મને?. પ્રભો, આપ. સિદ્ધાર્થનંદન! પરમાત્મા! કરી સ્તવના શુભ ભાવથી, બનવું અંતરશત્રુવિજેતા, તીર્થકર! આપના પ્રભાવથી... પ્રભો, આપ. સ્તવના પૂર્ણ કરી, પરમાત્માને પ્રાર્થના કરી, નમસ્કાર કરી, મનમાં રાજગૃહી નગરીનું ધ્યાન કરી અંબડ પરિવ્રાજ ક ઊડ્યા, ત્યારે ત્રિકાળવેદી તીર્થંકર પરમાત્મા મહાવીર પ્રભુએ અંબડને કહ્યું : ' હે અંબડ! તમે રાજગૃહી જવાના છો, ત્યાં રહેલી સુલસી શ્રાવિકાને ઘેર જઈ, મારા વચનથી ધર્મલાભનો આશીર્વાદ કહેજો.' અંબડે મસ્તક નમાવી પ્રભુને કહ્યું : “તહત્તિ.” આપનું વચન શિરોધાર્ય છે. આ પ્રમાણે કહીને સંબડ પરિવ્રાજક આકાશમાર્ગે સુરાજ્યથી શોભિત રાજગૃહી નગરીમાં પહોંચ્યો. એને પ્રભુનો સંદેશો યાદ હતો. પરંતુ એના પ્રજ્ઞાવંત મનમાં વિચારોની હારમાળા શરૂ થઈ ગઈ. “એ સૌભાગ્યવંતી સુલસા કોણ હશે?. જે એક સ્ત્રી છે. છતાં એનામાં પ્રભુએ એવા કોઈ વિશિષ્ટ ગુણો દેખ્યા હશે. તો જ આનંદિત થઈ વીતરાગ પરમાત્માએ તેને યાદ કરી “ધર્મલાભ” ના આશીર્વાદ મોકલ્યા. નહીંતર, વીતરાગ જેવા વીતરાગ, સુરાસુરો અને રાજા-પ્રજાની સભામાં, બીજા કોઈને નહીં, ફક્ત સુલતાને જ “ધર્મલાભ' નો સંદેશો મોકલાવે? ભગવાન મહાવીરના શ્રીમુખે ચઢેલી વિશિષ્ટ ગુણવાળી સુલતાના ગુણો મારે ખાસ જાણવા જોઈએ. નાગ સારથિનું મૃત્યુ થયા પછી સુલસા એકાકી બની ગઈ હતી. પરંતુ અચાનક એના દ્વારે ભિક્ષા માટે બે શ્રમણો આવી ચઢયા. તેઓ સુલતાને જાણતા હતા. નાગ સારથિનું મૃત્યુ થયું છે -એ વાત પણ જાણી હતી. સુલસાએ મુનિરાજોને નમસ્કાર કરી, ભિક્ષા માટે નિમંત્ર્યા. મુનિરાજે કહ્યું : “હે મહાસતી! તું જે શોક કરે છે તે સાવ અઘટિત છે. એમાં કોઈ ઔચિત્ય નથી. તું જે પ્રભુના જ્ઞાનની વાત કરે છે તે શું કેવળ વાતો છે? તે શું કેવળ શબ્દોના સાથિયા છે? સાચો જ્ઞાની તો પ્રાણ ગયો કે રહ્યો, એ કશાનો શોક કરતો નથી. સાચો જ્ઞાની ભીતરથી એટલો સ્વસ્થ, એટલો પ્રસન્ન એટલો આનંદમય હોય છે કે આ સુખદુઃખમાં કદીય વિભાજિત થતો નથી. એની વિચારધારા સુલસી ૨0૫ For Private And Personal Use Only
SR No.008941
Book TitleSulsa
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2009
Total Pages267
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy