SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભગવાને કહ્યું : “છઠ્ઠી નરકમાં!' કોણિકે પૂછ્યું : “હું સાતમી નરકે કેમ નહીં જાઉં?” “કારણ કે તું ચક્રવર્તી નથી!' ભગવાને વિચાર્યું : “શ્રેણિકનો આ પુત્ર...કેટલી નીચી કક્ષાએ?' કોણિકે પૂછ્યું : “ભગવાન, હું ચક્રવર્તી કેમ નહીં? મારે ચક્રવર્તી જેવી સેના છે.' સેના છે, પણ ચક્ર વગેરે ચૌદ રત્નો નથી, માટે તું ચક્રવર્તી ન બની શકે.” પરંતુ એ તો અહંકારનો પર્વત હતો. એ સેના સાથે વૈતાઢચગિરિની તમિસા ગુફા પાસે પહોંચ્યો. તેણે ગુફાના દ્વાર પર દંડ વડે ત્રણ વાર તાડન કર્યું. ગુસ્સે ભરાયેલા કૃતમાળ દેવે કોણિકને તત્કાળ બાળીને ભસ્મ કરી દીધો. એ છઠ્ઠી નર કે ગયો. મગધના રાજપાટ પર કોણિકના પુત્ર ઉદયનને બેસાડવામાં આવ્યો. આ બધી ઘટનાઓ સુલસાએ નાગ સારથિને કહેવી પડતી હતી. નાગ સારથિનું હૃદય દ્રવિત થઈ જતું હતું. સુલસા એમને સમજાવવા પ્રયત્ન કરતી રહેતી, પરંતુ ધીરે ધીરે એમનું સ્વાથ્ય કથળતું ચાલ્યું. વૈદ્યોને બોલાવ્યા. ઔષધોપચાર શરૂ કર્યા, પરંતુ સુલસાએ તો નાગને આત્મભાવમાં સ્થિર કરવા માટે જિનવચનો સંભળાવવા માંડ્યાં. અરિહંત, સિદ્ધ, સાધુ અને ધર્મનું શરણ અંગીકાર કરાવ્યું. છેદુષ્કૃત્યોની ગહ કરાવી. છે સુકૃત્યોની અનુમોદના કરાવી. જ પ્રભુ વીરનું પુનઃ પુનઃ સ્મરણ કરાવ્યું. એ ભાવથી તીર્થોની યાત્રા કરાવી. અને શ્રી નવકાર મંત્રનું સતત સ્મરણ કરાવ્યું. નાગ સારથિના મુખ પર પ્રકાશ પથરાયો.. નમો અરિહંતાણં' બોલતાં તેમનું પ્રાણપંખેરું ઊડી ગયું. સુલસા નાગ સારથિના મૃતદેહને વળગી ધ્રુસકે ધ્રુસકે રડી પડી. નગરના પ્રમુખ નાગરિકો, શ્રેષ્ઠીઓ, શ્રેષ્ઠીપત્નીઓ હાજર હતી. સહુએ સુલતાને ખૂબ આશ્વાસન આપ્યું. સુલસા એકલી પડી ગઈ. , ૨00 સુલાસા For Private And Personal Use Only
SR No.008941
Book TitleSulsa
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2009
Total Pages267
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy