SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ત્યાં શ્રેષ્ઠ ચિત્રકારો હતા. ઉત્તમ ગાયકો હતા. પ્રવીણ નર્તકો હતા. રાજગૃહી કલાઓનું પવિત્ર તીર્થધામ હતું. એવી રીતે મંદિરોનું પણ ભવ્ય ઘામ હતું. પ્રતિદિન મંદિરો ભક્તિ-મહોત્સવોથી ઊભરાતા રહેતા હતાં. ઋજુવાલુકા નદીના કિનારે શ્રમણ ભગવાન મહાવીરને કેવળજ્ઞાન પ્રગટ થયું હતું. પ્રભુ ત્યાંથી મહસેન વનમાં પધાર્યા હતા. દેવોએ સમવસરણની રચના કરી હતી. પ્રભુએ ત્યાં ધર્મતીર્થની સ્થાપના કરી. સાધુ-સાધ્વી-શ્રાવક અને શ્રાવિકાનો ચતુર્વિધ સંઘ સ્થાપિત કર્યો. ત્યાંથી વિહાર કરી, પરિવાર સાથે પ્રભુ રાજગૃહી પધાર્યા. રાજગૃહીના બાહ્ય પ્રદેશમાં આવેલા ગુણશીલ ચૈત્ય' ના વિશાળ પરિસરમાં તેઓ બિરાજિત થયા. દેવોએ ત્યાં સમવસરણની રચના કરી. રાજગૃહીમાં પ્રભુપધાર્યાના શુભ સમાચાર વાયુવેગે ફેલાઈ ગયા. મગધસમ્રાટ શ્રેણિક આ સમાચાર સાંભળીને આનંદિત થઈ ગયો. શ્રેણિક પ્રજાપ્રિય રાજા હતો. તે વીર હતો, પરાક્રમી હતો. તેની આંખોમાંથી પ્રજા પ્રત્યે વાત્સલ્ય નીતરતું હતું, તો શત્રુઓ પ્રત્યે આગ વરસતી હતી, તેનામાં જેમ બાહુબળ હતું તેમ બુદ્ધિબળ પણ હતું. બંને બળોનો એનામાં સમન્વય હતો. એની સેવામાં ઝંઝાવાતી વાયુને શરમાવે તેવો રથ હતો. અને એ રથનો સમર્થ સારથિ હતો નાગ! રથસંચાલનમાં અતિ કુશળ અને મહારાજાને પૂર્ણ વફાદાર! રાજગૃહીમાં ગગનચુંબી ભવ્ય અને ભોગવિલાસયુક્ત પ્રાસાદ હતો. તેમાં સદૈવ રાજાને પ્રિય એવાં બત્રીસ જાતનાં ભોજન-વ્યંજન તૈયાર રહેતાં. મનોરંજન માટે રાજસભામાં અપ્સરાઓથી પણ ખૂબસૂરત, લાવણ્યવતી નર્તિકાઓ, ગણિકાઓ અને ગાયિકાઓ ઉપસ્થિત રહેતી. કુશળ અને બુદ્ધિમાન અભયકુમાર જેવા સ્વજનને સલાહ દેવા પાસે રાખ્યો હતો. રાજાનો પ્રત્યેક આદેશ ઝીલે તેવા મંત્રીઓની પૂરી એક શંખલા તૈયાર રહેતી હતી. પિતા પ્રસેનજિતના મૃત્યુ પછી સમગ્ર મગધ સામ્રાજ્યની ધુરા શ્રેણિકના હાથમાં હતી. શ્રેણિક પોતાની રાણીઓ નંદા, ધારિણી વગેરે સાથે રથમાં આરૂઢ થયો. બીજા રથોમાં અભયકુમાર વગેરે મંત્રીઓ બેઠા. શણગારેલા હાથી-ઘોડાઓ ચાલ્યા. પાયદળ સેના ચાલી. પ્રજાજનો પણ હર્ષોલ્લાસથી નાચતા... પ્રભુ મહાવીરને વંદન કરવા ચાલ્યા. રાજગૃહીના રાજમાર્ગો પર હર્ષ હિલોળે સુલસા For Private And Personal Use Only
SR No.008941
Book TitleSulsa
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2009
Total Pages267
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy