SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ સરકારને પશ્ચિમના ઉદારીકરણનો સ્વીકાર છે તો એની સાથે જ આવતી અશ્લીલતાનો સ્વીકાર કેમ નથી ? રાજસ્થાન પત્રિકા : તા. ૧૦/૬/૦૭ સામાન્ય નિયમ આ છે કે લાભ અને નુકસાન વચ્ચે પસંદગી કરવાની આવે ત્યારે લાભ પર જ પસંદગી ઉતારાય; પરંતુ બે નુકસાનને સ્વીકારવાની પરિસ્થિતિ આવી જાય ત્યારે શક્ય હોય તો એક નુકસાનને ટાળી શકાતું હોય તો ટાળી જ દેવું પડે. પરંતુ એક નુકસાનને જો તમે સ્વીકારી લો છો તો બીજા નુકસાનને પણ સ્વીકારી લેવામાં તમને વાંધો શું છે ? આવી બેવકૂફીભરી દલીલ તો ક્યારેય ન કરી શકાય. કબૂલ, સરકારે પશ્ચિમના ઉદારીકરણને ઔદ્યોગીકરણને સ્વીકારી લેવાની જરૂર નથી પરંતુ લોભ-લાલચ-પ્રલોભન-દબાણ વગેરેના કારણે સરકારે એ અનિષ્ટનો સ્વીકાર કરી પણ લીધો હોય તો ય એનો અર્થ એવો તો નથી ને કે સરકારે પશ્ચિમની અશ્લીલતાનો પણ સ્વીકાર કરી લેવો જ જોઈએ ? અલબત્ત, કેટલાંક અનિષ્ટો એવા હોય છે કે જે ચોક્કસ અનિષ્ટના સ્વીકાર પાછળ અનિવાર્યરૂપે આવી જ જતા હોય છે, એમાંનું જ એક અનિષ્ટ છે અશ્લીલતાનું કે જે ઉદારીકરણ પાછળ આવી જતું જ હોય છે છતાં એ અનિષ્ટને અટકાવી શકાય કે પકારી કાય નો એ દિશામાં પ્રયત્ન તો કરવા જ જોઈએ ને ? એનો સ્વીકાર કરી લેવાનું તો વિચારી પણ શી રીતે શકાય ? ৩৩
SR No.008940
Book TitleTagde
Original Sutra AuthorN/A
AuthorRatnasundarsuri
PublisherRatnasundarsuriji
Publication Year
Total Pages100
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy