SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ ક્રોધથી હૃદયરોગ-હતાશા અને ફેફસાંની જાલિમ બીમારી નવભારત ટાઈમ્સ : તા. ૦૬/૦૭ ઈષ્યએ જન્મ આપ્યો છે પ્રતિસ્પર્ધાને, પ્રતિસ્પર્ધાએ જન્મ આપ્યો છે તનાવને અને તનાવે જન્મ આપ્યો છે ક્રોધને. અને આ ક્રોધે સીધો હુમલો કર્યો છે માણસના હૃદય પર, માણસના મન પર અને માણસનાં ફેફસાં પર. આજના યુગને વિકાસયુગ, વિજ્ઞાનયુગ, વિચારયુગ વગેરે જે પણ વિશેષણો મળ્યા હોય તે પણ એક વિશેષણ તો ખાસ યાદ રાખવા જેવું છે અને એ વિશેષણ છે અસહિષ્ણુ યુગ” કોઈને ય કશું જ સહન કરવું નથી. કોઈને કોઈનું ય સાંભળવું નથી. કોઈને કોઈનું ય જતું કરવું નથી. પેટ્રોલ વગેરેની ગાડી પર લખ્યું હોય છે ને કે સળગી ઊઠે તેવો માલ' આજે માણસના માથા પર લખવું પડે તેમ છે કે “સળગી ઊઠે તેવી ખોપરી’ કોઈએ સળી કરી નથી અને માણસની ખોપટી ફાટી નથી. જગતને તો આપણે સુધારી શકવાના નથી. જાતને ક્રોધની આગમાંથી બહાર કાઢી લેશું?
SR No.008940
Book TitleTagde
Original Sutra AuthorN/A
AuthorRatnasundarsuri
PublisherRatnasundarsuriji
Publication Year
Total Pages100
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy