SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ લોકશાહીમાં બહમતી “કડવી’ વાસ્તવિકતા છે - અરૂણ શૌરી હિન્દુસ્તાન : તા. ૫/૬/૦૭ ગાંડાઓની હૉસ્પિટલમાં ગાંડાઓની દવા બહુમતીના આધારે કરવામાં નથી જ આવતી. ઘરમાં શાક કયું બનાવવું, એનો નિર્ણય પરિવારમાં બહુમતીના આધારે નથી જ લેવામાં આવતો. મકાન બનાવવામાં ઈટચૂનો-સિમેન્ટ-પાણી કેટલા વાપરવા, એનો નિર્ણય ઍન્જિનિયર-કડિયાઓના સમૂહ વચ્ચે બહુમતીના આધારે લેવામાં નથી જ આવતો; પરંતુ આ વિરાટ દેશના પ્રજાજનોનાં સુખ અને હિત માટે શું કરવું, એનો અધિકાર કોના હાથમાં સોંપવો, એનો નિર્ણય બહુમતીના આધારે જ કરવામાં આવે છે. કરુણતા છે ને? વિનોબાજીએ એક જગાએ લખ્યું હતું કે ૪૯ જણાને કેળાં ખાવા હોય પણ ૫૧ જણાને સફરજન ખાવા હોય તો સોએ સો જણાને સફરજન જ ખાવા માટે મજબૂર કરવામાં આવે એનું નામ લોકશાહી ! ૧૦૦માંથી ૬૦ જણા મતદાન કરે. એમાં ૩૫ મતથી જે જીતી જાય એ વિજેતા ઉમેદવાર જાહેર થાય અને એ વિજેતા ઉમેદવાર ૧૦૦ જણા ઉપર રાજ કરે આ છે લોકશાહીમાં બહુમતીની “કડવી’ વાસ્તવિકતા ! ૫૪
SR No.008940
Book TitleTagde
Original Sutra AuthorN/A
AuthorRatnasundarsuri
PublisherRatnasundarsuriji
Publication Year
Total Pages100
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy