SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ મને બરાબર ખ્યાલ આવી ગયો છે કે જેણે જીવન દુષ્ટ ગાળ્યું છે એને પોતાની જ મૃતિનો ડર રહ્યા કરતો હોય છે. આખરે, ફુરસદથી માણસો આટલા બધા ડરતા કેમ હોય છે, એનું રહસ્ય મને સમજાઈ ગયું છે. આ સમજણ પછી મેં મારા જીવનનો રાહ બદલી નાખ્યો છે કારણ કે વૃદ્ધાવસ્થામાં મને પુષ્કળ ફુરસદ મળવાની જ છે અને એ અવસ્થાને હું ડરામણી સ્મૃતિઓથી બગડવા દેવા નથી જ માગતો. શરીરમાં લોહી એની મેળે ફરતું રહે છે, શ્વાસ એની મેળે લેવાતો રહે છે, ખોરાક એની મેળે પચતો રહે છે અને છતાં મને એમ લાગી રહ્યું છે કે આ શરીરને હું જ ટકાવી રહ્યો છું ! | કોણ સમજાવે મારા મનને કે આ જગતમાં ફેંકી દેવા જેવી કોઈ એક જ મૂડી હોય તો એ મૂડીનું નામ છે, અહંકાર !
SR No.008937
Book TitleShikhar Sathe Vato
Original Sutra AuthorN/A
AuthorRatnasundarsuri
PublisherRatnasundarsuriji
Publication Year
Total Pages102
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size618 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy