SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ વરસાદ વરસે છે તો સર્વત્ર પણ એનું પાણી પર્વતના શિખર પર લટકતાં ખાડામાં ટકી જાય છે. કારણ ? શિખર પહેલેથી જ ભરેલું છે જ્યારે ખાડો ખાલી છે. પ્રભુના કરુણાપાત્ર તો આ જગતના બધા જ જીવો બને છે પરંતુ કૃપાપાત્ર તો એ જીવ જ બની શકે છે કે જે કૃતજ્ઞ છે. પ્રભુ આપણને કરુણાપાત્ર બનાવે એ એમની મહાનતા છે. આપણે કૃપાપાત્ર બનીએ એ આપણી મર્દાનગી છે ! જ વરસો પહેલાં હું જમતો હતો. પાટલા પર થાળી મુકાતી. થાળીમાં ભોજનનાં દ્રવ્યો પીરસાતા. હું નીચે પાથરણા પર બેસતો અને હાથેથી પેટમાં ભોજનનાં દ્રવ્યો પધરાવતો ! - આજે હું જમતો નથી, ખાઉં છું. ખુરસી પર બેસું છું. જમવા માટે ડાઇનિંગ ટેબલ છે. હાથમાં ચમચી કે છરી-કાંટા છે. શું ખાઉં છું એ મને યાદ રહેતું નથી !
SR No.008937
Book TitleShikhar Sathe Vato
Original Sutra AuthorN/A
AuthorRatnasundarsuri
PublisherRatnasundarsuriji
Publication Year
Total Pages102
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size618 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy