SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ રસોઈમાં મીઠું ન હોય તો રસોઈ બે-સ્વાદ લાગે પણ કડવી ન લાગે, ગાડીમાં પેટ્રોલ ન હોય તો ગાડી આગળ ન ચાલે પણ ખાડામાં ન જાય, ઘરમાં ફર્નિચર ન હોય તો ઘર શોભાવિહીન લાગે પણ સ્મશાનતુલ્ય ન લાગે પણ સુખ સાથે જો સદ્ગદ્ધિ ન હોય તો એ સુખ જીવનને કડવું વખ પણ બનાવી દે, પતનની ગર્તામાં પણ ધકેલી દે અને જીવનને સ્મશાનતુલ્ય પણ બનાવી દે. સાવધાન ! રસ્તા પર પસાર થઈ રહેલ અંધને ખુલ્લી આંખવાળા. માણસના માર્ગદર્શન પર પૂરેપૂરો ભરોસો છે. અને ખુલ્લી આંખવાળા મને પ્રભુના માર્ગદર્શન પર જાતજાતના તર્ક-વિતર્કો કરતા રહેવાનું મન થયા જ કરે છે અને છતાં મને પેલો અંધ દયા- પાત્ર લાગે છે, મારી જાત નહીં ! કરુણતા જ છે ને ?
SR No.008937
Book TitleShikhar Sathe Vato
Original Sutra AuthorN/A
AuthorRatnasundarsuri
PublisherRatnasundarsuriji
Publication Year
Total Pages102
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size618 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy