SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ ગુરુદેવ કહે છે... દેશની આબાદી તો પ્રજાની આબાદી પર નિર્ભર છે, ને પ્રજાની આબાદી ગુણવત્તા ઉપર આધાર રાખે છે. ખૂનરેજી, બદમાસી, ચોરી, સ્વછંદતા વગેરેની વ્યાપકતા પર પ્રજા શું આબાઠ ગણાય ? શોભન આચારો વિના અને માનવતાના વિશિષ્ટ ગુણો વિના આબાદી નહીં. જ્ઞાનનો વિકારા જ્ઞાનના આચારની બહુ અપેક્ષા રાખે છે. સ્થળ હતું પૂના-ટીંબર માર્કેટનું, ઉપધાન તપની આરાધનામાં સેંકડોની સંખ્યામાં ત્યાં આરાધકો જોડાયા હતા. બન્યું એવું કે સાંજના પ્રતિક્રમણમાં એક મુનિવર સ્તવન પણ ખૂબ મોટું બોલ્યા તો અન્ય એક મુનિવર સજાઝાય પણ ખૂબ લાંબી બોલ્યા, પ્રતિક્રમણ સમાપ્ત થયા બાદ મોટા ભાગના મુનિ સ્વાધ્યાય કર્યા વિના સૂઈ જ ગયા. હું ય સૂવાની તૈયારી કરતો હતો અને ત્યાં ગુરુદેવ, આપે મને બોલાવ્યો. રત્નસુંદર, યુવાન મુનિઓનો એક પણ દિવસ રાત્રિ સ્વાધ્યાય વિનાનો જવો જ ન જોઈએ, સ્તવન-સન્માય લાંબા બોલાય છૌની ના નથી પણ એના રણે સ્વાધ્યાયનો ભોગ લેવાઈ જાય છે તો શું ચાલે ? કાલથી એક અલગ વ્યવસ્થા ગોઠવી દેવાની છે. જે મુનિના દિવસે પાઠો ચાલતા હોય એમની પ્રતિક્રમણની માંડલી અલગ બેસે અને જે વૃદ્ધ મુનિઓ હોય એમની પ્રતિક્રમણની માંડલી શ્રાવકો સાથે બેસે. ટૂંકમાં, રાત્રિસ્વાધ્યાય થવો જ જોઈએ. | ગુદેવ ! યુવાનીને સહી સલામત પસાર કરી દેવા આપ કેટ કેટલી યુક્તિઓ લડીવતાં હતાં ! અમ સહુનો જીવન આજે ચોડ-al પણ રવસ્થ, સ્થિર અને શુદ્ધ રહા છે એનો તમામ ચણ આપની યુકિતઓના ફાળે જ જાય છે ને ?
SR No.008931
Book TitleOxygen
Original Sutra AuthorN/A
AuthorRatnasundarsuri
PublisherRatnasundarsuriji
Publication Year
Total Pages50
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy