SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ OGN ઉપચાર કર્યા. દ્રવ્ય (શરીરનો ) રોગ દૂર થયો. પણ ખાનપાન પરની આસક્તિનો ભાવરોગ મનમાં પેસી ગયો. સંયમ છોડ્યું, આકંઠ રસસભર્યા ભોજન કર્યા. રાત્રે રૌદ્રધ્યાનમાં ચઢીને મૃત્યુ પામીને ૭મી નરકમાં ગયા. રસનાએ આપણને કેટ-કેટલા ભટકાવ્યા છે ? બીજુ કાર્ય રસનાનું જે ભાષાપ્રયોગ. તેમાં પણ રસનાએ જીવનું કેટલું બધુ નિકંદન કાઢી નાંખ્યુ છે. સ્વાર્થ ખાતર આ રસનાથી મૃષાવચનો બોલીને જીવે કેટલા કર્મ બાંધ્યા ? કેટલી બધી દુર્ગતિઓ પ્રાપ્ત કરી. વસુ રાજાએ ‘અજ' શબ્દનો અર્થ જે ગુરુએ (ડાંગર) ચોખા કર્યો હતો, તેને વિપરીત રીતે રજુ કરીને તાત્કાલિક દૈવીપ મેળવ્યો. મૃત્યુ પામી ૭ મી નરકે ગયો. ! ઉપદેશપદમાં પણ વાણીના દુરુપયોગના ફળ બનાવેલ છે. ܘ ܘ ܧ ܧ (c) ܡ G '' જીભ ખેંચી કાઢી છે, છેદી નાંખી છે. ઘણા દુ:ખો વેક્યા પછી પરમાત્માની પ્રાપ્તિ થઈ છે. અને કંઈ ભાગ્ય જાગ્યુ ત્યારે જ આ જ સુધી નિર્દાથી અપવિત્ર થયેલ જિહાએ પ્રભુની સ્તવના કરી અને જીભ પવિત્ર બની ધન્ય બની અને હવે તો એવો નિર્ધાર કર્યો છે કે જે જીભથી પ્રભુના ગુણ ગાયા છે તે જીભને હવે કોઈનાય દોષો બોલીને અપવિત્ર કરવી નથી. મલિન કરવી નથી. ખરેખર જીહા ! તું ધન્ય બની ગઈ, કે તેં પ્રભુની સ્તવના કરી. અરે માત્ર જીહ્વા જ પવિત્ર નથી થઈ પણ પ્રભુની સ્તવના કરવા દ્વારા આ જિંહાએ આત્માને પવિત્ર કર્યો. પાપો દૂર કર્યા. કુમારપાળ બત્રીશીમાં જણાવ્યું છે. "तव स्तवेन क्षयमङ्गभाजां भजन्ति जन्मार्जितपातकानि । कियच्चिरं चण्डरूचेर्मरीचि - स्तोमे तमांसि स्थितिमुद्वहन्ति ।। " અર્થ : પ્રભુ ! તમારી સ્તવનાથી અનેક જન્મોમાં Delle Cl (૯૧) L SL SL 'अइकुहिय छाणभक्खणपरायणो एरिसो इमो होही । जो नियजीहाए पर्यपिऊण चुक्कत्तणं बहइ ।। " અર્થ : જો પોતાની જીભથી બોલેલું ફેરવી નાખીશ (બોલેલું વચન નહીં પાળે) તો આ અત્યંત કોહાયેલા છાણને ભક્ષણ કરતો આવો કીડો થઈશ. વળી જિંહાએ પણ અન્યોની નિા કરી કેવા પાપ બાંધ્યા છે. નિાપરાયણ જીએ મહાપુરુષોને પણ છોડ્યા નથી. દેવ-ગુરુ-ધર્મ-સાધામિર્ક-સંઘ વગેરેની નિદા કરી ગાઢ પાપો બાંધ્યા છે. ચિકણા અને નિકાચિત કર્મ એવા બાંધ્યા છે કે જે ભોગવતા જીવને ખૂબ જ ભારે પડી ગયુ છે. આપણે પણ ભુતકાળમાં આવા નિર્દાના પાપોથી છાણના કીડા જ માત્ર નહીં પણ જિંહા વિનાના અનેક એકેન્દ્રિયાદિ ભવોને પામ્યા છીએ. અરે ! નારકીમાં પરમાધામીઓએ “આ જીભથી તે મહાપુરુષોની નિદા કરી હતી'' એમ કહીને આપણી NANO (૯૦) N S‍ ભેગા કરેલા પાપકર્મો નાશ પામે છે. સૂર્યના કિરણો પ્રસરતા અંધકાર ક્યાં સુધી રહી શકે? પરમાત્માની ભાવપૂર્ણ સ્તવનાની આ એક મહાન શક્તિ બતાવી છે. સૂર્યનો પ્રકાશ થતાની સાથે અંધકાર વિલય પામે છે. તેમ પરમાત્માની ભાવપૂર્ણ સ્તવના યતાંની સાથે અશુભકર્મો, તેના અનુબંધો વગેરે નાશ પામે છે. માટે ભયંકર કર્મોના નાશને કરનાર એવી પરમાત્માની સ્તુતિ કરતી જિન્હા પણ ધન્ય છે. હવે હૃદયની વાત કરે છે ધન્ય તે હૃદય જેણે તુજ સદા સમરતા...'' શરીરનું મહત્ત્વનું અંગ છે હૃદય......હૃદય બધુ જ લોહી શુદ્ધ કરી શરીરની નાડીઓમાં મોકલે છે. હૃદય બંધ પડતા જ પ્રાણ ચાલ્યા જાય છે. આધ્યાત્મિક જગતમાં પણ હ્રદયનું સ્થાન ખૂબ જ મહત્વનું છે. લગભગ દરેક ધર્મમાં હૃદયમાં પ્રભુનું LOL NO (૯૨) ૨૮.
SR No.008929
Book TitleRushabh Jinraj Muz Aaj din Aatam Bhalo
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri Acharya
PublisherSanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2008
Total Pages34
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size267 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy