SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી નવપદ પ્રવચન ઉપાધ્યાયનું આદર્શ વ્યક્તિત્વ : શ્રમણ સમુદાયને નિર્મળ સમ્યજ્ઞાનની આરાધના કરાવવાનું મહાનું કર્તવ્ય જે મહાપુરૂષના શિરે છે તે ઉપાધ્યાય ભગવંતના ઉત્તમ વ્યક્તિત્વનું દર્શન ‘નમસ્કાર-નિર્યુક્તિ' નામના ગ્રંથમાં થાય છે. ૧૩ (૧) દ્વાદશાંગ-સ્વાધ્યાયકરણમાં ઉપયુક્ત. (૨) પાપરિવર્જક. (૩) ધ્યાનમાં લીન. (૪) કર્મનાશ કરવામાં ઉદ્યમી. (૫) આચાર્ય પદને યોગ્ય. ૧૧ અંગ એને ૧૨ ઉપાંગ.... ઇત્યાદિ આગમગ્રંથોનું અધ્યયન તો એ મહાપુરૂષે કરેલું જ હોય, વર્તમાનમાં ઉપલબ્ધ ૪૫ આગમોનું તલસ્પર્શી અધ્યયન કર્યા પછી તો તેઓને ઉપાધ્યાય પદ મળેલું હોય છે. ઉપાધ્યાયને ૪૫ આગમોનું જ્ઞાન હોવું અનિવાર્ય : સભા : શું ઉપાધ્યાય પદ માટે ૪૫ આગમોનું અધ્યયન જોઈએ જ ? મહારાજશ્રી : એમાં પૂછવાનું શું છે? અધ્યયન કર્યા વિના તેઓ અધ્યાપન કેવી રીતે કરાવે? શિષ્યોને ૪૫ આગમોનું જ્ઞાન કેવી રીતે આપી શકે? એટલે ઉપાધ્યાય પાસે ૪૫ આગમોનું જ્ઞાન હોવું જ જોઈએ, એ વાત સમજાઈ ગઈ? અરે, માત્ર અધ્યયન જ નહીં, પરંતુ ચિંતન-મનન પણ જોઈએ. અનુપ્રેક્ષાસ્વાધ્યાય જોઈએ, તો જ બીજા જીવોને આગમગ્રંથોનું અધ્યાપન કરાવી શકાય. અનુપ્રેક્ષા વિના જિનોક્ત તત્ત્વોની યથાર્થ પ્રરૂપણા કરી શકાય નહીં. ઉપાધ્યાયનો અનુપ્રેક્ષા-સ્વાધ્યાય તો નિરંતર ચાલતો હોય. For Private And Personal Use Only બીજાં જીવોને જિનોક્ત તત્ત્વોનું જ્ઞાન આપવું-એ સામાન્ય કાર્ય નથી. સ્વયં જ્ઞાન પ્રાપ્ત કરવું એ હજુ સરળ કામ છે, પરંતુ બીજા જીવોને જ્ઞાન આપીને તેમના સંવેગ-વૈરાગ્યની વૃદ્ધિ કરવી, એ કાર્ય વિશિષ્ટ યોગ્યતા માગી લે છે. ઉપાધ્યાય ભગવંત એ રીતે શિષ્યોને જ્ઞાન આપે કે એમનું સમ્યગ્દર્શન નિર્મલ બનતું જાય, સમ્યગુચારિત્રમાં પુરૂષાર્થ વધતો જાય અને સંવેગ-વૈરાગ્યમાં પ્રતિદિન વૃદ્ધિ થતી જાય.
SR No.008928
Book TitleRuday Kamal Me Dhayan Dharat Hu
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2009
Total Pages188
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy