SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આ વ્યાખ્યાન આઠમું ) સમ્ય દર્શન પદ પરમ ઉપકારી પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી રત્નશેખરસૂરિજી મહારાજ શ્રીપાલ કથામાં અરિહંતાદિ નવપદનું હૃદયકમળમાં ધ્યાન ધરીને સિદ્ધચક્રજીનો મહિમા બતાવે છે. આમ તો મહાપુરુષોના હૃદયમાં સિદ્ધચક્રજીનું ધ્યાન નિરંતર ચાલ્યા જ કરતું હોય છે, પરંતુ જ્યારે કોઈ વિશિષ્ટ પ્રયોજન આવે, કે કોઈ મહાન પરોપકારનું કાર્ય હોય, ત્યારે વિશિષ્ટ રીતે સિદ્ધચક્રજીનું ધ્યાન ધરવામાં આવે છે. કારણ શું? ધ્યાનથી આત્મ-શક્તિ જાગ્રત થાય છે. શક્તિ વિના પરોપકારનું કાર્ય સંપૂર્ણ થતું નથી. આપણા પોતાના હિત-કલ્યાણ માટે જેટલી શક્તિ અપેક્ષિત હોય છે, તેથી વધુ શક્તિ પરોપકારના કાર્ય માટે અપેક્ષિત હોય છે. પરોપકારનું કાર્ય એક જિંદગી નહીં પણ અનેક જિંદગી સુધી ચાલુ રહે, છતાં તેનો અંત નથી આવતો. શ્રીપાલચરિત્રની રચના શા માટે? આચાર્ય રત્નશેખરસૂરિ મહારાજને મહાન કાર્ય કરવું છે! મહાન કાર્ય સંપન્ન કરવા માટે સિદ્ધચક્રજીની આરાધના છે. શ્રીપાલ કથાની રચના માત્ર મનોરંજન માટે આચાર્યને નથી કરવી. તેમને જનહૃદયમાં સિદ્ધચક્રની સ્થાપના કરી, જીવોનું હિત કરવું છે! આ નાનું કે મામૂલી કાર્ય નથી. મોટું કાર્ય છે. બીજી બાજુ કુદરતનો એવો નિયમ છે કે “એથસિ વિનાનિ' સારા કામમાં હજાર વિઘ્ન આવે! વિપ્નવિજય કરવા માટે પરમ તત્ત્વોનો સહારો લેવો જોઈએ. સિદ્ધચક્રજીની આરાધના વિનો અને આપત્તિઓ દૂર કરે છે; દુઃખ દૂર કરે છે, મોક્ષમાર્ગમાં સહાયક બને છે. સુખથી ભરપૂર મોક્ષ તરફ નિર્મળ આત્માઓને લઈ જાય છે. શું આ માટે સિદ્ધચક્રજીનું ધ્યાન ધરવાનું છે? આપણી આત્મશક્તિ જાગૃત કરવા સિદ્ધચક્રજીનું જેમ તેમ ધ્યાન ધરવાનું નથી, પરંતુ હૃદયકમળમાં For Private And Personal Use Only
SR No.008928
Book TitleRuday Kamal Me Dhayan Dharat Hu
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2009
Total Pages188
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy