SearchBrowseAboutContactDonate
Page Preview
Page 297
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મહારાજા, અમે અવધિજ્ઞાની મહામુનિ શ્રી જ્ઞાનધરનાં દર્શન-વંદન કરવા માટે દક્ષિણાર્ધ ભારતમાં ચંપાનગરી ગયા હતા... ત્યાંથી આપના માટે એક સંદેશ લાવ્યા છીએ... સુરસંગીતનગરની રાજસભામાં ઉપસ્થિત થઈ બે વિદ્યાધરોએ વિદ્યાધરરાજા રત્નજીની સમક્ષ નિવેદન કર્યું. ચંપાનગરીનું નામ સાંભળતાં જ રત્નજટી ઊભો થઈ ગયો ને બોલ્યો: ‘મહાનુભાવો, શીધ્ર એ સંદેશ સંભળાવી મને પ્રસન્ન કરો...” “હે રાજેશ્વર, આપનાં ધર્મભગિની સુરસુંદરી અને એમના પતિ અમરકુમારબંને ચારિત્રધર્મ અંગીકાર કરવા તત્પર બન્યાં છે. તેઓએ આપને યાદ કર્યા છે. આપનાં ધર્મભગિનીએ કહેવરાવ્યું છે કે મારા ભાઈને કહેજો કે ચારેય ભાભીઓને સાથે લઈ દીક્ષામહોત્સવમાં અવશ્ય ચંપાનગરીમાં પધારે...' રત્નજીના રોમરોમ વિકસ્વર થઈ ગયા. તેની આંખો આંસુઓથી ઊભરાઈ ગઈ. તેનો કંઠ અવરુદ્ધ થઈ ગયો. તેણે પોતાના મુગટ સિવાયનાં તમામ આભૂષણ ઉતારીને એ બે વિદ્યાધરોને ભેટ આપી દીધાં... અને રાજસભામાંથી નીકળી તે સીધો પોતાના મહેલે પહોંચ્યો. ચારેય રાણીઓને બોલાવીને સમાચાર આપ્યા. રાણીઓ હર્ષથી ગદ્ગદ્ થઈ ગઈ. રત્નજી બોલ્યો: ધન્ય છે બહેન તને! સંસારનાં વિપુલ ભોગસુખો મળવા છતાં. એ સુખોનો ત્યાગ કરીને તું પરમાત્મા વીતરાગના બતાવેલા ચારિત્રમાર્ગે જવા તત્પર બની છે! તારા ગુણોનો પાર નથી.. તું સાચે જ ઉત્તમોત્તમ આત્મા છે! આવું છું બહેન... હમણાં જ આવું છું તારી પાસે... તારો દીક્ષા-મહોત્સવ હું કરીશ...!' રાણીઓને તૈયાર થઈ જવાની આજ્ઞા કરી, રત્નજીએ પોતાનું વિમાન સજાવ્યું. સાથે બીજા એક હજાર વિદ્યાધરોને આવવા માટે સૂચનાઓ આપી. ચારેય રાણીઓ સાથે વિમાનમાં બેસી રત્નજીટીએ ચંપા તરફ પ્રયાણ કર્યું. પાછળ એક હજાર વિમાનો ગતિશીલ થયાં. 0 0 0 For Private And Personal Use Only
SR No.008923
Book TitlePrit Kiye Dukh Hoy
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2009
Total Pages307
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy