SearchBrowseAboutContactDonate
Page Preview
Page 279
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir www.kobatirth.org પ્રીત કિયે દુઃખ હોય ૨૬૯ “આપણે યથાશક્તિ પાલન તો કરી રહ્યાં છીએ ને?' ઘણું જ અલ્પ! ગૃહસ્થ જીવનમાં કેટલું પાલન થઈ શકે? જિનાજ્ઞાનું સંપૂર્ણ પાલન ચારિત્રજીવનમાં જ શક્ય છે... નિરૈન્યના જીવનમાં જ સમુચિત પાલન થઈ શકે...' ચારિત્રનું જીવન સરળ નથી. ઘણું દુષ્કર હોય છે એ જીવન..” “છતાં એ જીવન જીવવું અશક્ય તો નથી જ. હજારો સ્ત્રી-પુરુષો એવું જીવન જીવી રહ્યાં છે ને...? તો આપણે પણ એવું જીવન કેમ ન જીવી શકીએ?” એ જીવન જીવવા માટે અપૂર્વ સત્ત્વ જોઈએ.' એવું સત્ત્વ આપણામાં પણ પ્રગટી શકે!' “જ્ઞાનમૂલક વૈરાગ્ય જોઈએ.' ‘એવો વૈરાગ્ય આપણામાં પ્રગટી શકે!” ઇન્દ્રિયોની ઉત્તેજનાઓ, કષાયોની પરવશતા અને કષ્ટો સહન કરવાની ભીરૂતા... એ વૈરાગ્યને વેરવિખેર કરી નાખે છે...” વૈરાગ્ય સ્થિર, દઢ અને વૃદ્ધિગત રાખવા માટે તીર્થકરોએ અનેક માર્ગો બતાવ્યા છે. જો જ્ઞાનમાં મગ્ન રહેવામાં આવે, બાહ્ય-અત્યંતર તપશ્ચર્યા કરવામાં આવે, ધ્યાનમાં લીન રહેવામાં આવે. તો વૈરાગ્ય અખંડ-અગ્નિ રહી શકે.” “પરંતુ રાગ-દ્વેષના પ્રબળ ઉછાળા આવી જાય તો જ્ઞાન-ધ્યાન અને તપશ્ચર્યા પણ ક્યારેક બચાવી શકતાં નથી આત્માને!” રાગ-દ્વેષનો નિગ્રહ કરી શકાય છે, સંયમ કરી શકાય છે...” પણ જો એ સંયમ રાખવામાં નિષ્ફળ જવાય તો?' એ ભય શા માટે રાખવો? જિનાજ્ઞા મુજબ પુરુષાર્થ કરવો આપણું કર્તવ્ય! ફળની ચિંતા ન કરવી જોઈએ. નિષ્ફળતાની કલ્પના જ ન કરવી જોઈએ. પરમાત્માનો પ્રેમ... એમની ભક્તિ આપણામાં એવી શક્તિનો સંચાર કરે છે કે આપણે પરમાત્માની આજ્ઞાનું પાલન કરવા શક્તિમાન બની શકીએ. ભક્તિમાંથી અપૂર્વ શક્તિ જન્મે છે.” અમરકુમાર સુરસુંદરીની સામે જોઈ જ રહ્યો. તેના મુખ પર અપૂર્વ તેજ ચમકી રહ્યું હતું. તેની આંખોમાંથી વૈરાગ્ય નીતરી રહ્યો હતો. અમરકુમારના For Private And Personal Use Only
SR No.008923
Book TitlePrit Kiye Dukh Hoy
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2009
Total Pages307
LanguageGujarati
ClassificationBook_Gujarati & Story
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy