SearchBrowseAboutContactDonate
Page Preview
Page 538
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧. મહાવ્રતો સંસારનો ત્યાગ કરી સાધુજીવન સ્વીકારનાર સ્ત્રી-પુરુષને પાંચ મહાવ્રતોનું પાલન જીવનપર્યંત કરવાનું હોય છે. એ મહાવ્રોનાં નામ આ પ્રમાણે છે : ૧. પ્રાણાતિપાતવિરમણ મહાવ્રત '' ૨. મૃષાવાદવિરમણ મહાવ્રત ૩. અદત્તાદાનવરમણ મહાવ્રત ૪. મૈથુનવિરમણ મહાવ્રત ૫. પરિગ્રહવિરમણ મહાવ્રત પ્રાણાતિપાતવિરમણ મહાવ્રત : પ્રાણ = જીવ, અતિપાત = હિંસા, વિરમણ = અટકવું, જીવહિંસાથી અટકવું તે પહેલું મહાવ્રત છે, t પ્રમાદથી થતા પ્રાણીવધને ‘હિંસા’ કહેવાય. પ્રમાદ આઠ પ્રકારનો બતાવવામાં આવ્યો છે. ૧. અજ્ઞાન ૨. સંશય ૩. વિપર્યય ૪. રાગ ૫. દ્વેષ ૬. સ્મૃતિભ્રંશ ૭. યોગદુપ્રણિધાન, અને ૮. ધર્મનો અનાદર. આ આઠ પ્રમાદમાંથી ગમે તે પ્રમાદથી ત્રસ કે સ્થાવર કોઈ પણ જીવની હિંસાથી અટકવું જોઈએ. આ હિંસાથી નિવૃત્તિ સમ્યગ્ જ્ઞાનપૂર્વક અને સમ્યક્ શ્રદ્ધાપૂર્વક થવી જોઈએ. સાધુ મન-વચન-કાયાથી હિંસા કરે નહીં, કરાવે નહીં, અનુમોદું નહીં. મૃષાવાદવિરમણ મહાવ્રત : કૃપા=અસત્ય . વાદ–બોલવું. પ્રિય, પથ્ય અને તથ્ય વચનનો ત્યાગ કરીને બોલવું. આવાં વચનાનો પરિહાર કરવો તે બીજું મહાવ્રત છે. * ‘પ્રિય’ વચન એટલે જે સાંભળતાં જ પ્રીતિ થાય. 3) Acharya Shri Kailassagarsuri Gyanmandir * ‘પથ્ય' વચન એટલે જેનું પરિણામ (વક્તા અને શ્રોતાને) સારું આવે. * ‘તથ્ય' વચન એટલે સત્ય વચન. – ૧૭૩, શ્લોક નં, ૧૦ १७४. प्रभत्तयोगात् प्राणव्यपरोपण हिंसा । तत्त्वार्थसूत्रे / अ० ७ = १७५. 'प्राणिवधात् सम्यग्ज्ञान श्रद्धानपूर्विका निवृत्तिः प्रथमव्रतम् ।' -'प्रवचनसारोद्धारे' १७६. 'मृषा अलीक वदनं प्रियपथ्यतथ्यवचनपरिहारेण भाषणं मृषावादः तस्माद् विरतिर्द्वितीयं व्रतम् । प्रवचनसा रोद्धारे For Private And Personal Use Only
SR No.008922
Book TitlePrashamrati
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2008
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Religion
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy