SearchBrowseAboutContactDonate
Page Preview
Page 511
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૯૦. પ્રશમરતિ "ऊर्ध्वगौरवधर्माणो जीवा इति जिनोत्तमैः । अधोगौरवधर्माणः पुद्गला इति चोदितम् ।। अतस्तु गतिवैकृत्यमेषां यदुपलभ्यते । कर्मणः प्रतिघाताच्च प्रयोगाच्च तदिष्यते ।। આ રીતે વિસ્તારથી, ગ્રન્થકારે આત્માનું ઊર્ધ્વગમન સિદ્ધ કર્યું છે. હવે મુક્તાત્મામાં સુખની સિદ્ધિ કરે છે : મોક્ષમાં સુખ કેવી રીતે? देहमनोवृत्तिभ्यां भवतः शरीरमानसे दुःखे। तदभावात्तदभावे सिद्धं सिद्धस्य सिद्धिसुखम् ।।२९६।। અર્થ : દેહ અને મનના સદૂભાવથી શારીરિક અને માનસિક દુઃખ થાય છે. શરીર અને મનના અભાવથી સિદ્ધાત્માનું સિદ્ધિસુખ સિદ્ધ થાય છે. વિવેવન: દુનિયામાં, ચાર અર્થોમાં “સુખ' શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે. ૧. વિષયમાં, ૨. વેદનાના અભાવામાં, ૩. પુણ્યકર્મના વિપાકમાં ૪. મોક્ષમાં. ૧. વિષયોમાં ‘સુખ' શબ્દનો પ્રયોગ : “આ સંસારમાં મધુર શબ્દો જ સુખ છે. સુંદર રૂપ જ સુખ છે.. પ્રિય-ઇષ્ટ ભોજન સુખ છે. મૃદુ સ્પર્શ સુખ છે...ધન-સંપત્તિ જ સુખ છે...” આ રીતે વિષયોમાં “સુખ' શબ્દ વપરાય છે. ૨. વેદનાના અભાવમાં ‘સુખ' શબ્દનો પ્રયોગ જ્યારે કોઈ રોગ દૂર થાય છે ત્યારે, જ્યારે કોઈ આફત દૂર થાય છે ત્યારે, માથેથી કોઈ ભાર ઊતરી જાય છે ત્યારે માણસ બોલે છે : “હાશ, હવે સુખી થયાં....!' ૩. પુણ્ય કર્મના વિપાકમાં “સુખ' શબ્દનો પ્રયોગ : “આપણાં તો પુણ્યનો ઉદય છે...એટલે સારો બંગલો મળી ગયો. આપણે તો સુખી છીએ. હવે સુખનો ઉદયકાળ આવ્યો છે...' વગેરે. ૪. મોક્ષમાં “સુખ’ શબ્દનો પ્રયોગ : મોક્ષમાં પરમ સુખ હોય છે. કર્મોનો ૧૬૨. આ બંને કારિકા શ્રી તત્ત્વાર્થસૂત્રની “અન્તિમ ઉપદેશકારિકામાંથી ઉત થયેલી છે. १६३. लोके चतुर्विहार्थेषु सुखशब्दः प्रयुज्यते । विषये वेदनाऽभावे, विपाके मोक्ष एव च।। - तत्त्वार्थसूत्रे/उपदेशकारिकायाम For Private And Personal Use Only
SR No.008922
Book TitlePrashamrati
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2008
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Religion
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy