SearchBrowseAboutContactDonate
Page Preview
Page 509
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રશમતિ ૪૮૮ બીજી વાત છે શક્ય-અશક્ય ભાવોની. કેટલાક ભાર્યા, કેટલીક વાતો અશક્ય હોય છે, તેમાં કોઈ તર્ક કામ લાગતો નથી. અર્થાત્ કહે કે જેમ પૂર્વપ્રયોગ ઊર્ધ્વગમન માટે થાય છે તેમ અધોગમન માટે કરવામાં આવે તો આત્મા અધોગમન કેમ ના કરે?' આવા કોઈ તર્કને આ સૂક્ષ્માતિસૂક્ષ્મ પ્રક્રિયામાં સ્થાન જ નથી. વજનરહિત મુક્તાત્મા અધોગમન કરે જ નહીં! સર્વજ્ઞ-સર્વદર્શી તીર્થંકરોએ આ વાસ્તવિકતા જોઈને-જાણીને દુનિયા સમક્ષ પ્રગટ કરેલી છે. પ્રશ્ન : માની લીધું કે મુક્ત આત્મા અધોગમન ન કરે, ઊર્ધ્વગમન કરે છે, પરંતુ તે લોકાન્તે કેમ અટકી જાય છે? અલોકમાં કેમ નથી જતો? ઉત્તર : ગતિમાં સહાયક દ્રવ્ય છે ધર્માસ્તિકાય. ધર્માસ્તિકાયનું અસ્તિત્વ લોકાન્ત સુધી જ હોય છે. અલોકમાં ધર્માસ્તિકાયનું અસ્તિત્વ નથી; માટે આત્મા લોકાન્ત સુધી જાય છે. પાણી હોય ત્યાં સુધી જ જહાજ જાય. પાણી હોય ત્યાં સુધી માછલી જાય, તેમ. પ્રશ્ન : અનંત શક્તિવાળા આત્માને ધર્માસ્તિકાયની સહાય જરૂરી ખરી? ઉત્તર : એ પણ એક નિશ્ચિત ભાવ છે, જડ અને જીવ...બંનેની ગતિસ્થિતિમાં સહાયક દ્રવ્યો જોઈએ જ. આત્મામાં એવી શક્તિ નથી હોતી કે તે ધર્માસ્તિકાયની સહાય વિના ગતિ કરી શકે છતાં આને શક્તિની ઊણપ ન માની શકાય. વિશ્વની શાશ્વત્ વ્યવસ્થા કહેવાય. પ્રશ્ન : ભલે, મુક્તાત્મા અધોગમન ન કરે, લોકાન્તની બહાર ન જાય, પરંતુ તિર્યગમન તો કરી શકે ને? તીરછું ગમન કરવામાં શો વાંધો? ઉત્તર : ગાડીને (Car) સીધી દોડાવવામાં સ્ટીયર્નિંગ' પકડી જ રાખવું પડે છે, પણ ગાડીને વાળવા માટે (આડી-અવળી-પાછળ) ‘સ્ટીયરિંગ’ને ઘુમાવવું પડે છે. અર્થાત્ મનની અને કાયાની ક્રિયા કરવી પડે છે. આ રીતે, આત્માને આડા-અવળા જવા માટે (એક ગતિમાંથી બીજી ગતિમાં, ચાર દિશાઓમાં) મન-વચન-કાયાના યોગ જોઈએ અને આત્માની ક્રિયા જોઈએ. મુક્તાત્માને આમાંનું કંઈ જ હોતું નથી...તિયંગમન કરવા માટે જે ઉપકરણ જોઈએ તે હોતાં નથી, માટે તે તિર્યંગુગમન નથી કરી શકતો, ઊર્ધ્વગમન જ કરે છે. મુક્તાત્માના ઊર્ધ્વગમનને સિદ્ધ કરનારાં કારણોનો ઉપસંહાર કરતાં કહે છે : * પૂર્વ પ્રયોગથી, १६१. पूर्वप्रयोगादसङ्गत्वाद्बन्धच्छेदात्तथागतिपरिणामाच्च तद्गतिः । For Private And Personal Use Only तत्त्वार्थसूत्रे/ अ. १० सू० ६
SR No.008922
Book TitlePrashamrati
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2008
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Religion
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy