SearchBrowseAboutContactDonate
Page Preview
Page 504
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મોક્ષસુખ ૪૮૩ એક રાજા એક જંગલમાં જઈ ચડ્યો. તેની પાસે ખાવા-પીવાનું કંઈ ન હતું. તેને મોત સામે દેખાતું હતું. ત્યાં એક આદિવાસી પુરુષ રાજાને જોયો. રાજાને પોતાની ઝૂંપડીમાં લઈ ગયો. પ્રેમથી ભોજન કરાવ્યું. નગર સુધી રાજાને મૂકવા આવ્યો. રાજાએ એ આદિવાસીના ઉપકારનો બદલો વાળવા માટે તેને નગરમાં થોડા દિવસ રાખ્યો. ઉત્તમ પ્રકારનાં વસ્ત્ર, ભોજન, અલંકાર આપ્યાં. સુંદર સ્ત્રી આપી. પેલો આદિવાસી આ સુખભોગમાં ડૂબી ગયાં. ત્યાં વર્ષાઋતુ આવી. આકાશમાં મેઘગર્જનાઓ થવા લાગી. મયૂરોના મધુર કેકારવ થવા લાગ્યા...આ બધું જોઈને પેલા આદિવાસી-ભીલને પોતાના જંગલમાં જવાની ઇચ્છા થઈ. રાજાએ તેને રજા આપી. તે જંગલમાં ગયો, ત્યાં બીજા વનવાસીઓએ તેને નગર અંગે પૂછ્યું : “નગર કેવું હોય?' પેલો વનવાસી જવાબ ન આપી શક્યો, કારણ કે જંગલમાં એવી કોઈ ઉપમાં ન હતી કે જેને બતાવીને કહી શકાય : નગર આવું હોય! "માટે મુક્તાત્માનું સુખ “અનુપમ છે. ૩. મુક્ત આત્માનું સુખ અવ્યાબાધ હોય છે. ત્યાં કોઈ બાધા નહીં, પીડા નહીં, સંઘર્ષ નહીં! જો અમૂર્ત આકાશને આઘાત પહોંચે તો અમૂર્ત આત્માને આઘાત પહોંચ! કોઈપણ દુઃખ વિનાનું... સિદ્ધક્ષેત્રમાં રહેલા અનન્ત સિદ્ધાત્માઓને નિભંદ સુખ હોય છે! આવા સિદ્ધાત્માઓમાં ક્ષાયિક સમ્યક્ત્વ હોય છે. આ સમ્યક્ત્વ આત્મસ્વરૂપ હોય છે. પૌગલિક નથી હોતું. કેવળજ્ઞાન અને કેવળદર્શન હોય છે. ભારતીય દર્શનોમાં “સાંખ્યદર્શન'નું આગવું સ્થાન છે. તે પુરુષ-પ્રકૃતિવાદી દર્શન છે. આ દર્શન, મોક્ષમાં જ્ઞાનનો નિધિ કરે છે. તે કહે છે કે મુક્તાત્મામાં જ્ઞાન-ગુણા હોઈ જ ના શકે! જૈનદર્શન મુક્તાત્મામાં જ્ઞાનાદિ ગુણોને માને છે. જ્ઞાન-જ્ઞાનીનો ભેદભેદ સંબંધ માને છે. અનેક અફાટ્ય તકથી સાંખ્યદર્શનની એકાન્ત માન્યતાનું ખંડન કરવામાં આવ્યું છે. મુક્તાત્મામાં જ્ઞાનાદિ ગુણો ભેદાદ સંબંધથી હાય છે, એનો નિર્દેશ ગ્રન્થકારે આ કારિકામાં વેરચત્વિજ્ઞાનનામા મવતિ મુ' કહીને કરી દીધો છે. “આત્મામાં જ્ઞાનગુણ રહેલો છે,' એમ કહી શકાય અને “આત્મા જ્ઞાનસ્વરૂપ છે.' એમ પણ કહી શકાય. १५९. औपम्यस्याप्यविषयस्ततः सिद्धसुखं खलु । यथा पुरसुख जज्ञे म्लेच्छवाचामगोचरः।। | द्रव्य लोकनकाशे] For Private And Personal Use Only
SR No.008922
Book TitlePrashamrati
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2008
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Religion
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy