SearchBrowseAboutContactDonate
Page Preview
Page 498
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શરીરનો ત્યાગ ૪૭૭ અંક ગતિમાંથી બીજી ગતિમાં જતા જીવને, આ કાર્પણ શરીર (તેજસની સાથે સહાયક કારણ છે. તૈજસ-કાશ્મણશરીર સહિત આત્મા મૃત્યદેશને ત્યજીને ઉત્પત્તિદેશ તરફ જાય છે. પ્રશ્ન : જો કાણશરીર સાથે જીવ બીજી ગતિમાં જાય છે. તો તે જતાંઆવતો દેખાતો કેમ નથી? ઉત્તર : કામણ શરીર અને તેજસ શરીરનાં પુદ્ગલો અતિ સૂક્ષ્મ હોય છે, એટલે તે ઇન્દ્રિયગોચર શરીર નથી, જોઈ શકાતું નથી. કામણશરીર નામકર્મના ઉદયથી, જીવ કામણ શરીરને યોગ્ય પગલો ગ્રહણ કરીને કાર્મણ શરીરરૂપે પરિણમાવે છે અને આત્મપ્રદેશો સાથે એકમેક કરે છે. આ રીતે પાંચ શરીરોનું સ્વરૂપદર્શન કરાવીને હવે, પ્રસ્તુતમાં દારિક, તેજસ અને કાર્મણ-આ ત્રણ શરીરનો વિષય હોવાથી એ ત્રણ શરીર અંગે વિશેષ જાણકારી આપીશ. ઔદારિક શરીર : દારિક-વર્ગણાના સ્થળ પુદ્ગલોનું બનેલું હોય. પછીનાં બીજાં શરીર ઉત્તરોત્તર સૂક્ષ્મ-સૂક્ષ્મ પુદ્ગલોનાં બનેલાં હોય છે. દારિક શરીર મનુષ્યોને અને તિર્યંચોને હોય છે. ૧૫૨ આ શરીરની ઉત્કૃષ્ટ તીરછી ગતિ રૂચક પર્વત સુધી હોય છે. જંઘાચારણ મુનિ રૂચક પર્વત સુધી જઈ શકે. વિદ્યાચારણ મુનિ અને વિદ્યાધરો નંદીશ્વર દીપ સુધી જઈ શકે ઊર્ધ્વગતિ “પંડક વન સુધી હોય. * આ શરીરનું પ્રયોજન : ધમધમનું ઉપાર્જન, સુખ-દુ:ખનો અનુભવ, કેવળજ્ઞાન, અને મોક્ષપ્રાપ્તિ. આ શરીરનું ઉત્કૃષ્ટ પ્રમાણ સાધિક એક હજાર યોજન છે. આ શરીરની જઘન્ય સ્થિતિ અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રણ પલ્યોપમની હોય છે. દારિક શરીરવાળા જીવો અનન્ત છે, પરંતુ શરીર અસંખ્ય હોય છે. સાધારણ વનસ્પતિમાં જીવ અનન્ત, શરીર અસંખ્ય १५२. आद्यस्य तिर्यगुत्कृष्टा गतिरारूचकाचलम् । जंघाचारणनिर्ग्रन्थानाश्रित्य कलयन्तु ताम्। आनन्दीश्वरमाश्रित्य विद्याचारणखेचरान्। ऊर्ध्व चापंडकवनं तत्रयापेक्षया भवेत् ।। [द्रव्य-लोकप्रकाशे] For Private And Personal Use Only
SR No.008922
Book TitlePrashamrati
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2008
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Religion
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy