SearchBrowseAboutContactDonate
Page Preview
Page 489
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra ૪. www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir द्वीन्द्रियसाधारणयोर्वागुच्छ्वासावधो जयति तद्वत् । पनकस्य काययोगं जघन्यपर्याप्तकस्याधः ।।२८० ।। પ્રશમરતિ અર્થ : જે રીતે મનાયોગનો નિરોધ કરે છે તે રીતે વચનયોગ અને શ્વાસોચ્છવાસનો નિરોધ કરે છે. બેન્દ્રિય જીવનો જે વચનયોગ હોય છે અને સાધારણ વનસ્પતિના જીવનો જે શ્વાસોચ્છુવાસ હોય છે, તેનાથી પણ અસંખ્ય ગુણહાનિથી સમસ્ત વચનયોગ અને શ્વાસોચ્છ્વાસનો નિરોધ કરે છે. ત્યારપછી જઘન્ય પર્યાપ્તા સાધારણ વનસ્પતિના જીવને જે કાયયોગ હોય છે, તેનાથી અસંખ્ય ગુણહીન કાયયોગનો નિરોધ કરતાં જીવ સમસ્ત કાયયોગનો નિરોધ કરે છે. 134 विवेचन : પર્યાપ્ત બેઇન્દ્રિય જીવને જે જઘન્ય વચનયોગ હોય છે, તેનાથી અસંખ્ય ગુણહીન વચનયોગને કેવળજ્ઞાની સમયે-સમયે નષ્ટ કરતા જાય. સંપૂર્ણ વચનયોગનો નાશ કરતાં અસંખ્ય સમય લાગે. ૧૩. પર્યાપ્ત સાધારણ વનસ્પતિના જીવને પહેલા સમયે જે શ્વાસોચ્છ્વાસ હોય છે, તેનાથી અસંખ્યાત ગુણહીન શ્વાસોચ્છવાસને પ્રતિ સમય રોકતો જાય છે. આ શ્વાસોચ્છ્વાસનો સંપૂર્ણ નિરોધ કરતાં અસંખ્ય સમય લાગે છે. ૧ વચનયોગ અને શ્વાસોચ્છ્વાસનો નિરોધ કર્યા પછી કેવળજ્ઞાની કાયયોગનો નિરોધ આ રીતે કરે છે : સૂક્ષ્મ અપર્યાપ્ત સાધારણ વનસ્પતિના જીવને, ઉત્પત્તિના પહેલા જ સમયે, કે જ્યારે જીવને સર્વલ્પ વીર્ય હોય છે, ત્યારે તેનો જે કાયયોગ હોય છે તેના કરતાં અસંખ્યાત ગુણહીન કાયયોગો સમયે સમયે નિરોધ કરતાં કેવળજ્ઞાની, અસંખ્ય સમયમાં સંપૂર્ણ કાયયોગનો નિરોધ કરે છે. [ યોગનિરોધ'નું વધુ સૂક્ષ્મ અને વિશદ્ વર્ણન જાણવા માટે પંચસંપ્રજ્ઞની ટીકાનું અધ્યયન કરવું જોઈએ.] १३८. ततो अनंतरं बेइंदियपज्जत्तगस्स जहण्णजोगिरस हेट्ठा असंखिज्जगुणपरिहीणं दोच्च वतिजोगं निरुभति । प्रज्ञापनायाम्/पद- ३६ / सूत्र- ३४९ - ૧૩૯. વંધસંગ્રહ ની ટીકામાં-‘બાદર કાયયોગના આલંબન બાદર મનોયોગનો અંતર્મુહૂર્તમાં નિરોધ કરે. અન્તર્મુહર્તકાળ તે જ અવસ્થામાં રહી શ્વાસાવાસને રોધે છે' આ પ્રમાણે કહેવામાં આવ્યું છે. તત્ત્વ કેવલીગમ્ય, For Private And Personal Use Only १४०. ततो अनंतरं च णं सुहुमस्स पणगजीवस्स अपज्जवयस्स जहण्णजोगिस्स हेट्ठा असंखेज्जगुणपरिहीणं तच्चं कायजोगं निरुभति । - प्रज्ञापनायाम्/पद
SR No.008922
Book TitlePrashamrati
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2008
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Religion
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy