SearchBrowseAboutContactDonate
Page Preview
Page 468
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org શુક્લધ્યાન ૪૪૭ સ્વાત્માનુભૂતિ કરે છે અને સમરસીભાવ પ્રાપ્ત કરે છે. આઠેય કર્મોના રાજા જેવું મોહનીય-કર્મ, કે જે સંસારવૃક્ષનું મૂળ-બીજ છે, તેનો ક્ષય થઈ જાય છે. આત્મા વીતરાગ બને છે. કયા ક્રમથી મોહનીય કર્મનો સમૂળ નાશ કરે છે, તે ક્રમ હવે ગ્રન્થકાર સરળ ભાષામાં બતાવે છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir पूर्व करोत्यनन्तानुबन्धिनाम्नां क्षयं कषायाणाम् । मिथ्यात्वमोहगहनं क्षपयति सम्यक्त्वमिथ्यात्वम् ।।२६० ।। सम्यक्त्वमोहनीयं क्षपयत्यष्टावतः कषायांश्च । क्षपयति ततो नपुंसकवेदं स्त्रीवेदमध तस्मात् ।। २६१ ।। हास्यादि तथा षट्कं क्षपयति तस्माच्च पुरुषवेदमपि । संज्वलनानपि हत्वा प्राप्नोत्यथ वीतरागत्वम् ।।२६२ ।। ર્થ : પહેલાં અનન્તાનુબંધી નામના કપાયોનો (ક્રોધ-માન-માયા-લોભ) નાશ કરે છે. તે પછી પ્રબળ મિથ્યાત્વમોહનો ક્ષય કરે છે. ત્યારબાદ મિશ્રોહનો ક્ષય કરે છે. ૨૬૦ (તે પછી) સમ્યકૃત્વમોહનીયનો નાશ કરે છે. ત્યારપછી આઠ કપાયોનો (અપ્રત્યાખ્યાનાવરણ ક્રોધાદિ ૪ અને પ્રત્યાખ્યાનાવરણ ક્રોધાદિ ૪) ક્ષય કરે છે. તે પછી નપુંસક વેદનો નાશ કરે છે અને ત્યારબાદ સ્ત્રીવેદનાં નાશ કરે છે. ૨૬૧ (તે પછી) હાસ્ય વગેરે છ પ્રકૃતિનો ક્ષય કરે છે. ત્યારબાદ પુરુષવેદનો નાશ કરે છે. અને તે પછી સંજ્વલન કષાયોનો ક્ષય કરીને વીતરાગતા પ્રાપ્ત કરે છે, ૨૬૨ વિવેચન : ક્ષપકશ્રેણીએ ચઢનારા મહાત્માઓ ‘મોહનીય કર્મ’ની ૨૭ પ્રકૃતિનો કેવા ક્રમથી નાશ કરે છે, તે ક્રમ આ ત્રણ કારિકાઓમાં બતાવાયો છે. એ ક્રમનું વિશદ વિવેચન કરવા પૂર્વે, મોહનીય કર્મની ૨૮ પ્રકૃતિઓની સંક્ષિપ્ત સમજ હોવી જરૂરી છે. માટે પહેલાં એ ૨૮ પ્રકારોને જાણો. આઠ કર્મોમાં મુખ્ય કર્મ છે મોહનીય કર્મ. જીવાત્માની મૂઢતા અને અવિવેક આ કર્મને આભારી છે. આ કર્મના મુખ્ય બે પ્રકાર છે : દર્શન મોહનીય અને ચારિત્ર મોહનીય. અશ્રદ્ધાનું કારણ દર્શન મોહનીય છે અને અનાચારોનું કારણ ચારિત્ર મોહનીય છે. દર્શન મોહનીય કર્મના ત્રણ પ્રકાર છે : ૧, મિથ્યાત્વ મોહનીય. ૨. મિશ્ર મોહનીય [સમ્યક્ત્વ-મિથ્યાત્વ ૩. સમ્યક્ત્વ મોહનીય. For Private And Personal Use Only
SR No.008922
Book TitlePrashamrati
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2008
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Religion
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy