SearchBrowseAboutContactDonate
Page Preview
Page 460
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મુનિનો આધ્યાત્મિક વિકાસ ૪૩૯ ૫. સંસારના સુખોથી વિરક્ત આત્માની સર્વ તૃષ્ણાઓ વિરામ પામી જાય છે. ન કોઈ લોભ, ન કોઈ તૃષ્ણા. આત્મગુણોના પ્રગટીકરણનો આત્તરપુરુષાર્થ કરતા મહાત્માને સંસારનાં ભૌતિક-વૈપયિક સુખોની તૃષ્ણા હોય જ કેવી રીતે? ચક્રવર્તીનાં કે દેવેન્દ્રનાં સામ્રાજ્ય પણ એને તૃણસમ લાગે છે. શારીરિક સુખો પ્રત્યે પણ એ ઉદાસીન-ભાવમાં વર્તતો હોય છે. આશાઓ અને તૃષ્ણાઓના નાગપાશમાંથી મુક્ત થયેલો યોગી.. સમભાવના પ્રશાંત સમુદ્રમાં તરતો હોય છે. ૬. આવા તૃષ્ણાવિજેતા યોગી વનમાં હોય કે નગરમાં હોય, એને મન બંને સમાન હોય છે. એ મહાત્મા ક્ષેત્રાતીત બનીને વિચરતો હોય છે. એને નથી અકળાવતી વનની એકલતા કે નથી આકર્ષતી નગરની જાહોજલાલી! એને નથી આકર્ષતું વનનું સૌંદર્ય કે નથી અકળાવ નગરનો ઘોંઘાટ! આવા નિર્મોહી મહાત્મા પાસે કોઈ મિત્ર બનીને આવે કે કોઈ શત્રુ બનીને આવે..મહાત્માને બંને તરફ સમભાવ હોય છે. મિત્ર તરફ રાગ નહીં, શત્રુ તરફ હેપ નહીં! આવા યોગી પુરુષના શરીરે કોઈ શીતળ ચંદનનાં વિલેપન કરે કે કોઈ છરીના ઘા કરે. યોગીપુરુષને બંને તરફ સમભાવ હોય છે. ચંદનનાં વિલેપન કરનાર તરફ રાગ નહીં, છરીના ઘા કરનાર તરફ ષ નહીં! આવા મહાત્માની સામે મૂલ્યવાન રત્નો અને કિંમતી મણિના ઢગલા હોય કે તુચ્છ ઘાસના ઢેર પડ્યા હોય, મહાત્માને મન બંને સમાન! રત્નો અને મણિ એને લલચાવી ન શકે, ઘાસના પૂળા એને અકળાવી ન શકે. આવા અવધૂતની સામે સુવર્ણની પાટો પડી હોય કે માટીનાં ઢેફાં હોય, અવધૂતને મન બંને સમાન! સુવર્ણ મોહ જન્માવી ન શકે, માટી દ્વેષ પેદા ન કરી શકે.. કોઈ પણ દ્રવ્ય રાગદ્વેષ પેદા ન કરી શકે, કોઈપણ ક્ષેત્ર હર્ષ-ઉદ્વેગ જન્માવી ન શકે, કોઈ પણ કાળ રતિ-અરતિ ન કરાવી શકે કે કોઈપણ ભાવ આનંદઉગ ન કરાવી શકે! આવી આત્મસ્થિતિને પ્રાપ્ત કરનાર મુનિ ધર્મધ્યાનમાંથી શુક્લધ્યાન તરફ ધસમસતા આગળ વધતા હોય છે. ૭. આવા મુનિવરો નિરંતર આત્મરમણતામાં લીન બની પરમ સુખને અનુભવતા હોય છે. આત્મગુણોની જ રમણતા! પરમબ્રહ્મની જ મસ્તી! બહારની દુનિયા સાથે કોઈ પ્રીતિ નહીં, કોઈ લગાવ નહીં. પોતાના સંયમયોગોમાં આનંદ માણવાનો. For Private And Personal Use Only
SR No.008922
Book TitlePrashamrati
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2008
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Religion
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy