SearchBrowseAboutContactDonate
Page Preview
Page 446
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સુખ-આનન્દ ૪૨૫ મોક્ષમાર્ગનો આરાધક આત્મા, સમ્યગજ્ઞાનના પ્રકાશમાં આ નિર્ણય કરી લે છે કે ‘વૈષયિક સુખો અનિત્ય છે...પરિણામે દુઃખદાયી છે...’ આ નિર્ણય એ આરાધકને મમત્વરહિત બનાવી દે છે. પછી, ઇન્દ્રિયોને ગમે તેવો શ્રેષ્ઠ વિષય એની સામે આવે, છતાં પણ એ લોભાતો નથી; આકર્ષિત થતો નથી, બંધાતો નથી. * આવા મમત્વરહિત બની, ચક્રવર્તીની સંપત્તિ ત્યજી ત્યાગમાર્ગ-સંયમમાર્ગે ચાલી નીકળેલા મહર્ષિ સનતકુમારના દેહમાં સોળ-સોળ રોગ હતા છતાં વ્યથારહિત હતા! સાતસો વર્ષ સુધી એ રોગ મહર્ષિના દેહમાં રહ્યા હતા, મહર્ષિ નિરાકુળ હતા, પરમાનન્દને અનુભવતા હતા! દુઃખની કોઈ કલ્પના જ રહી ન હતી. સદૈવ સુખ જ સુખ અનુભવતા હતા. * મમત્વરહિત મહાત્માઓ સદૈવ નિર્ભય હોય, એમને કોઈ જ ભય ન હોય. રાત્રે ચારિત્ર અંગીકાર કરીને...એ જ રાતે સ્મશાનમાં જઈ કાયોત્સર્ગધ્યાનમાં લીન બનેલા અયવંતી સુકુમાળ મહામુનિ કેવા નિર્ભય હતા? શિયાળણી પોતાનાં બચ્ચાંઓ સાથે એમના પર ત્રાટકી હતી...એમનાં માંસ ખાધાં...લોહી પીધા છતાં મહામુનિ નિર્ભય-નિરાકુળ રહ્યા! * નગરના દરવાજા પાસે ધ્યાન લગાવીને ઊભેલા દૃઢપ્રહારી મુનિની નિર્ભયતા તો એમના મુખારવિંદ પર ઝળકતી હતી. લોકોએ પથ્થર માર્યા...દંડપ્રહાર કર્યા..શિકારી કૂતરાઓં છાંડ્યા...છતાં એ મહામુનિના મન પર ભયનો એક લિસોટો પણ પડ્યો નહીં, એમનું આંતરસુખ અકબંધ રહ્યું. * શ્રેષ્ઠ વૈયિક સુખોના ઢગલાઓ વચ્ચે રહેવા છતાં...મમત્વ રહિત સુવ્રત શ્રેષ્ઠીની નિર્ભયતા-નિરાલતા તો આપણાં મસ્તક નમાવી દે છે ! કરોડો રૂપિયાની સંપત્તિને ઉપાડીને ચાલ્યા જતા ચોરોને નજરે જોવા છતાં વ્યાકુળતા નહીં, વ્યથા નહીં! આવા મહાત્માઓ સદૈવ સુખી જ હોય. સુખ-આનન્દ धर्मध्यानाभिरतस्त्रिदण्डविरतस्त्रिगुप्तिगुप्तात्मा । सुखमास्ते निर्द्वन्द्वी जितेन्द्रियपरीषहकषायः || २४१ ।। અર્થ : ધર્મધ્યાનમાં લયલીન, ત્રણ દંડ મિનદંડ-વચનદંડ કાયદંડ) થી વિરત, ત્રણ ગુપ્તિથી, સુરક્ષિત, ઇન્દ્રિય-પરીષહ-કપાયનાં વિજંતા નિર્દેન્દ્ર મુનિ સુખપૂર્વક રહે છે. ૧૦૩. ધર્મધ્યાનનું વિવેચન કારિકા : ૨૪૭ થી ૨૫૦ માં વાંચો. For Private And Personal Use Only
SR No.008922
Book TitlePrashamrati
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2008
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Religion
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy