SearchBrowseAboutContactDonate
Page Preview
Page 440
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૧૯ સાધુ : અંધ-મૂક-બધિર ધર્મનું આદરપૂર્વક આરાધન કરે છે. જરાય અધીર બનતા નથી, જરાય કંટાળતો નથી. સદેવ આત્માનું શાસન કરતો એ મહાત્મા- જગતને જોવા માટે આંધળો બની જાય છે. જગતના ગુણ-દોષ બોલવા મુંગો બની જાય છે. » જગતના પ્રલાપો સાંભળવા બહેરો બની જાય છે! એ મહાત્માની આવી સ્પષ્ટ સમજ હોય છે કે વીતેલા અનંત કાળમાં જગતને જ જોયા કર્યું હતું, જગત સાથે જ પ્રલાપો કર્યા હતા અને જગતની વાતો સાંભળી હતી. એના પરિણામે તીવ્ર રાગ-દ્વેષ થયા હતા, હર્ષ-શોક કર્યા હતા. અનન્ત કર્મો બાંધ્યાં હતાં. હવે એ બધું નથી કરવું આ માનવજીવનમાં. આ જીવનમાં તો આત્માની શુદ્ધ સત્તા પામવી છે. અનન્ત આત્મગુણોનો આવિભૉવ કરવો છે...અત્તરાત્માના પ્રશમસુખન આસ્વાદવું છે'. આ દઢ નિશ્ચય સાથે મહાત્મા સંયમધર્મની આરાધનામાં ઉજમાળ બને છે. પોતાની આસપાસ રહેનારા બીજા મુનિજનોના ક્રિયાકલાપોને પણ જોતો નથી, એમના ગણ-દોપની ચર્ચા કરતો નથી. કોઈનો અવર્ણવાદ સાંભળતો નથી. મનને જરા પણ પરવૃત્તાન્તથી ચંચળ થવા દેતો નથી, વ્યગ્ર બનવા દેતો નથી. એ રમતો રહે છે આત્મગુણોમાં! સમ્યગુદર્શન-જ્ઞાન અને ચારિત્ર-ગુણોની આરાધનામાં લીન રહે છે. જ આવા મહાત્માને મદ સ્પર્શી શકતો નથી, ક કામવાસના સતાવી શકતી નથી, મોહ ફાવી શકતો નથી, મત્સર અભડાવી શકતો નથી, - રોય ભાન ભુલાવી શકતો નથી! * વિપાદ વ્યાકુળ કરી શકતો નથી. ૧. આત્મગુણોનું પ્રગટીકરણ કરવાની આરાધનામાં લીન એવા મહાત્માનું કોઈ ઘોર અપમાન કરે, તો પણ એમનું અભિમાન ઊછળતું નથી. કુરગડુ મુનિ, કે જેમણે રાજ્ય અને ૩ર રમણીઓ ત્યજીને સંયમ ધર્મ અંગીકાર કર્યો હતો, તેમનું ચાર તપસ્વી મુનિવરોએ કેવું ઘોર અપમાન કર્યું હતું? તેમના આહારમાં થૂક્યા હતા, છતાં કુરગડ મુનિ આત્મભાવમાં રહ્યા હતા. અહંકાર ભરણે દઈ શક્યો ન હતો. For Private And Personal Use Only
SR No.008922
Book TitlePrashamrati
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2008
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Religion
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy