SearchBrowseAboutContactDonate
Page Preview
Page 403
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૮૨ પ્રશમરતિ ૭૫. અશુભ : નાભિથી નીચેનું અંગ બીજાને અડવાથી અશુભ લાગે. ૭૬. દુર્ભાગ્ય : લોકોને અપ્રિય લાગે. ૭૭. દુઃસ્વર : કાગડા-ગર્દભ જેવો ખરાબ સ્વર મળે. ૭૮, અનાદેય : લોકોમાં વચન માન્ય ન થાય. ૭૯. અપયશ : લોકોમાં અપકીર્તિ થાય. ૮૦. નરક-આયુષ્યઃ નરકગતિનું આયુષ્ય મળે. ૮૧. અશાતા-વેદનીય : શારીરિક દુઃખ મળે. ૮૨. નીચ ગોત્ર : નીચ કુળમાં જન્મ મળે. આ રીતે ૪૨ પુણ્ય પ્રકૃતિ અને ૮૨ પાપ પ્રકૃતિનું સંક્ષેપમાં વર્ણન કર્યું. આસવ અને સંવર योग: शुद्धः पुण्याश्रवस्तु पापस्य तद्विपर्यासः । वाक्कायमनोगुप्तिर्निराश्रवः संवरस्तूक्तः । ।२२०।। : શુદ્ધ યાંગ પુણ્યનો આસવ છે. અશુદ્ધ યોગ પાપનો આસવ છે. મન-વચનકાયાની ગુપ્તિ નિરાસવ છે, અર્થાત્ તે સંવર કહેવાય છે. - વિવેચન : મન, વચન અને કાયાની ક્રિયાને યોગ' કહેવામાં આવ્યો છે. ત યોગ જ “આસવ' છે. આત્માની સાથે કર્મોનો સંબંધ કરાવનાર હોવાથી તેને આસ્રવ કહેવામાં આવે છે. તાત્ત્વિક દૃષ્ટિએ, વિર્યાન્તરાય કર્મના ક્ષયથી કે ક્ષયપશમથી તથા પુદ્ગલોના આલંબનથી થતો આત્મપ્રદેશનો પરિસ્પંદ-કંપન ક્રિયા, તેને યોગ કહેવાય છે. આ મન-વચન-કાયાનો યોગ જ્યારે શુદ્ધ (શુભ) હોય ત્યારે પુણ્યાસવ બને છે અને અશુદ્ધ (અશુભ હોય ત્યારે પાપાસવ બને છે. આગમ (જિનવચન વિહિત વિધિ મુજબ જ્યારે મન-વચન-કાયાની પ્રવૃત્તિ થાય છે ત્યારે પુણ્ય કર્મનો આત્મામાં આસ્રવ થાય છે. અર્થાત્ પુણ્યકર્મ આત્મામાં વહી આવે છે. સ્વેચ્છાપૂર્વક પ્રવૃત્તિ કરવાથી પાપકર્મનો આત્મામાં આસવ થાય છે. અર્થાતુ પાપકર્મ આત્મામાં વહી આવે છે. ५६. स एष त्रिविधोऽपि योग आस्रवसंज्ञो भवति। - तत्त्वार्थभाष्ये। अ. ६. सू. २ ૫૭. શુમ પુચ અશુમ પાપરચા - તસ્વાર્થ ૨. ૩-૪ For Private And Personal Use Only
SR No.008922
Book TitlePrashamrati
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2008
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Religion
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy