SearchBrowseAboutContactDonate
Page Preview
Page 368
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જીવના પ્રકારો ૩૪૭ સાત પ્રકારે-કૃષ્ણલશી, નીલશી, કપોતતેજો પદ્મ૦ શુક્લ- વેશ્યાવાળા અને અલેશી. આઠ પ્રકારે - અંડજ, પોતજ, જરાયુજ, રસ, સંસ્વેદ સંમૂર્છાિમ, ઉભેદ અને ઉપપતજ. આ રીત ચૌદ પ્રકારના (૧૪ ગુણસ્થાનોની અપેક્ષાએ) જીવો પણ બતાવ્યા છે. આ રીતે અનેક પ્રકારોમાં જીવસૃષ્ટિનું વિભાજન થઈ શકે છે, અને આ એક-એક પ્રકારના અનન્ત ભેદ પડી શકે છે! એ અનન્ત પ્રકાર કેવી રીતે છે, એ ગ્રન્થકારે સમજાવ્યું છે. દરેક દ્રવ્યના અનન્તપર્યાય હોય છે. પર્યાય એટલે અવસ્થા, એક-એક જીવદ્રવ્યના અનન્ત-અનન્ત પર્યાય હોય છે. અહીં પ્રસ્તુત વિષયમાં ચાર અપેક્ષાએ પર્યાયોની અનંતતા બતાવી છે. ૧. સ્થિતિની અપેક્ષાએ ૨. અવગાહનાની અપેક્ષાએ. ૩. જ્ઞાનની અપેક્ષાએ અને ૪. દર્શનની અપેક્ષાએ. સ્થિતિ એટલે આયુષ્ય, અનાદિકાલીન સંસારમાં જીવે અનંત ભવ કર્યા છે. દરેક ભવમાં આયુષ્યકર્મની સ્થિતિ તો હોય જ એ અપેક્ષાએ જીવના અનન્ત પર્યાય છે. અવગાહના એટલે શરીરનું નાના-મોટાપણું. શરીર આકાશ-પ્રદેશોને અવગાહીને રહે છે. હીનાધિક શરીરોના કારણે અને અનન્ત ભવમાં જીવે અનંત શરીર ધારણ કરેલાં હોવાથી અવગાહના અનંત પ્રકારની થાય છે. આ અપેક્ષાએ જીવના અનંત પર્યાય છે. સૂક્ષ્મ નિગોદના જીવના જ્ઞાનથી માંડીને કેવળજ્ઞાન સુધી જ્ઞાનના અનન્ત ભેદ થાય. એક જ જીવની અપેક્ષાએ નિગોદથી કેવળજ્ઞાન સુધીની યાત્રામાં જ્ઞાનના અનન્ત પયય થઈ જાય છે. એવી રીતે દર્શનના (સામાન્ય ઉપયોગ) પણ અનન્ત પર્યાય થઈ જતા હોય છે. આ દૃષ્ટિએ જીવના અનન્ત પર્યાય છે. આમ અનુત્ત જીવોમાં એક-એક જીવના અનન્ત ભેદ પડે છે! જીવસૃષ્ટિના ચિંતન-મનામાં આ અપેક્ષાઓ ખૂબ ઉપયોગી બને છે. ઊંડું અને વ્યાપક ચિંતન કરનારા ચિંતકો માટે, ચિંતનની આ કડીઓ આનન્દપ્રદ બનતી હોય છે. ૩૬. અંડજ ઇિડામાંથી ઉત્પન્ન થાય તે, પક્ષીઆં] પોતજ |પોતયુક્ત ઉત્પન્ન થાય, હાથી વગેરે) જરાયુજ જરાયુક્ત જન્મે, ગાય વગેરે) રસજ ચિલિત રસમાંથી તથા મદિરા વગેરેમાંથી ઉત્પન્ન થતા બંઇન્દ્રિય જીવો.| સર્વેદજ પરસેવામાંથી ઉત્પન્ન થતા જીવો, માંકડ, જૂ વગેરેનું ઉદ્દભેદજ જિમીન ભેદીને ઉત્પન્ન થનારા જીવાં, તીડ વગર સમૃમિ મિનુષ્યના ૧૮ સ્થાનમાં જન્મનારા| ઉપજાતજ | નારકી અને દેવો For Private And Personal Use Only
SR No.008922
Book TitlePrashamrati
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2008
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Religion
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy