SearchBrowseAboutContactDonate
Page Preview
Page 361
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૮૦. પ્રશમરતિ ૯. મોક્ષઃ સર્વ કમનો નાશ અને આત્માનું આત્મામાં અવસ્થાન. આ નવ પદાર્થોનું વિસ્તૃત અને ઊંડું જ્ઞાન ગ્રન્થ કાર સ્વયં જ આગળની કારિકાઓમાં કરાવે છે. સર્વપ્રથમ જીવ પદાર્થના ભેદ [પ્રકાર)નું નિરૂપણ કરે છે? જીવનuru जीवा मुक्ताः संसारिणश्च संसारिणस्त्वनेकविधाः । लक्षणतो बिज्ञेया द्वित्रिचतुःपञ्चषड्भेदाः ।।१९० ।। અર્થ : જીવો બે પ્રકારના હોય છે-મુક્ત જીવ અને સંસાર જીવ. સંસારી જીવ બેત્રણ-ચાર-પાંચ-છ વગેરે અનેક પ્રકારના હોય છે, તે જીવીને લક્ષણથી જાણવા જોઈએ. વિવેવન : જીવોના મુખ્ય બે પ્રકાર છે : મુક્ત જીવ અને સંસારી જીવ. આઠ કર્મોનાં બંધનથી જેઓ મુકાય છે-મુક્ત થાય છે, તે મુક્ત જીવ કહેવાય છે. એક વખત મુક્ત થયેલા જીવો, પછી ક્યારે પણ કર્મોથી બંધાતા નથી-લેપાતા નથી-આવરાતા નથી. મુક્ત આત્મા ક્યારેય પણ સંસારી બનતો નથી એટલે મુક્તાત્માની સ્થિતિ સાદિ અનન્ત' કહેવાય છે. સાદિ શરૂઆતસહિત, અનન્ત અત્તરહિત. મુક્તનો પર્યાયવાચી શબ્દ છે સિદ્ધ. સિદ્ધ આત્માઓનું ‘આચારાંગ-સૂત્રમાં આ રીતે સ્વરૂપદર્શન કરવામાં આવ્યું છે : “તે દીર્થ નથી, હ્રસ્વ નથી, ગોળ નથી, ત્રિકોણ નથી, ચતુષ્કોણ નથી, પરિમંડલ નથી, લાલ નથી, લીલા નથી, શુકુલ નથી, કૃષ્ણ નથી, નીલ નથી, દુર્ગધ નથી, સુગન્ધ નથી, તીખા નથી, કડવા નથી, ખાટા નથી, કષાયી નથી, મધુર નથી, મૃદુ નથી, કર્કશ નથી, ભારે. નથી, હલકા નથી, શીત નથી, ઉષ્ણ નથી, સ્નિગ્ધ નથી, રુક્ષ નથી. શરીરી નથી રોહક નથી, સ્ત્રી નથી, પુરુષ નથી, નપુંસક નથી.' મુક્ત જીવો અશરીરી હોવાથી, શરીરના તમામ ધમાંથી મુક્ત હોય છે. સર્વ કર્મોથી મુક્ત હોવાથી, ફર્મજન્ય સર્વ પ્રભાવોથી મુક્ત હોય છે. તેઓ અનન્તજ્ઞાની હોય છે. અનન્નદર્શની હોય છે. ક્ષાયિક ચારિત્રી હોય છે. અનન્ત સુખી હોય છે. અનન્ત વીર્યવંત હોય છે. અક્ષય સ્થિતિવાળા હોય છે. અમૂર્ત હોય છે અને અગુરુલઘુ પર્યાયવાળા હોય છે. અલબત્ત, મુક્ત જીવોમાં “જીવની કરેલી પરિભાષા : “આયુષ્ય કર્મના યોગ જે જીવ્યો છે, જીવે છે અને જીવશે, તેને જીવ કહેવાય,” કરવી નહીં ઘટે. પ્રાણોના આધારે જે જીવ્યો છે...' આ પરિભાષા પણ કરવી નહીં ઘટે, કારણ For Private And Personal Use Only
SR No.008922
Book TitlePrashamrati
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2008
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Religion
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy