SearchBrowseAboutContactDonate
Page Preview
Page 352
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પરગુણ-દોષનું કીર્તન છોડો ૩૩૧ કરવાનાં, ભોજન અંગેની વાત, અર્થાતુ ભજ્ય અને પય પદાર્થોની ચર્ચા નહીં કરવાની. ચાર લોકો આવી રીતે ધાડ પાડે છે, આવી રીતે તાળાં તોડે છે.. ચોરીનો માલ આવી રીતે છુપાવે છે...વગેરે ચર્ચા નહીં કરવાની. દેશકથા-“આ દેશમાં ઘઉં વધારે થાય છે. આ દેશમાં ચોખા ખૂબ થાય છે. અમુક દેશમાં દૂધ નથી મળતું. આ દેશના શાસકો સારાં છે, આ દેશના શાસકો ખરાબ છે..' આવી વ્યર્થ વાતો ન કરવી જોઈએ. જે મુમુક્ષુઓને વૈરાગ્યના મહાપંથે પ્રયાણ કરીને વીતરાગતા પ્રાપ્ત કરવી છે, તે મુમુક્ષુઓએ ધર્મકથામાં નિરત રહેવું જોઈએ, પદગુણ-દોષનું કીર્તન છોડો यावत्परगुणदोषपरिकीर्तने व्यापृतं मनो भवति । तावद्वरं विशुद्धे ध्याने व्यग्रं मनः कर्तुम् ।।१८४ || અર્થ : જ્યાં સુધી મને બીજાના ગુણ-દોષ ગાવામાં પ્રવૃત્ત રહેતું હોય ત્યાં સુધી તે મનને વિશુદ્ધ ધ્યાનમાં વ્યગ્ર કરવું શ્રેષ્ઠ છે. વિવેચન : પર-પુગલના ગુણદોષ મનમાં રમી રહ્યા છે? પર-જીવાત્માઓના ગુણદોષી ગાઈ રહ્યું છે મન? તમને ગમે છે આ મનોવૃત્તિઓ? તમને ગમે છે મનથી આ પ્રવૃત્તિઓ? તો તમે વૈરાગ્યના માર્ગે ચાલી જ નહી શકો. તમે આધ્યાત્મિક વિકાસયાત્રા નહીં જ કરી શકો. મહાનુભાવ! આધ્યાત્મિક માર્ગે સ્વાત્મા સિવાય કોઈનો ય વિચાર કરવાનો નથી, અર્થાત્ બીજા જીવાત્માઓના ગુણ-દોપોના વિચાર કરવાના નથી, તો જ તમે આત્મચિંતામાં અને આત્મતત્ત્વના ઊંડા ચિંતનમાં ડૂબી શકવાના. બીજા જીવોના દોષ જોઈને, એ દોપોને વારંવાર યાદ કરવાથી, અવર્ણવાદ કરવાનો થઈ જશે. તમારા મુખેથી એ દોષો પ્રકાશિત થઈ જવાના. કારણ કે મન વારંવાર જે વિચારે છે તે વાતો વાણીથી વ્યક્ત થતી રહેતી હોય છે. આ અશુભ મનોયોગથી અને વચનયોગથી પાપકર્મોનો બંધ થતો રહે છે. મહત્ત્વની અને ગંભીર વાત તો એ છે કે અધ્યાત્મના માર્ગે આવી વૃત્તિઓ અને પ્રવૃત્તિઓ શોભે જ નહીં. આવી પાપવૃત્તિ-પ્રવૃત્તિ ધરાવતા જીવાત્માઓ અધ્યાત્મમાર્ગના યાત્રિકો બની શકે નહીં. આધ્યાત્મિક માર્ગમાં પરદ્રવ્ય તરફ જોવાનું જ નથી. સ્વદ્રવ્ય-આત્મદ્રવ્ય તરફ જ લક્ષ નિર્ધારિત કરવાનું હોય છે. For Private And Personal Use Only
SR No.008922
Book TitlePrashamrati
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2008
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Religion
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy