SearchBrowseAboutContactDonate
Page Preview
Page 348
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચાર ધર્મકથા - ૩૨૭ મોક્ષમાર્ગની આરાધનામાં૧. વૈરાગ્યને જવલંત રાખવો જ પડે. ૨. તાત્ત્વિક શ્રદ્ધાને સુદઢ રાખવી જ પડે. ૩. સમ્યદર્શનાદિ ભાવોને સુરક્ષિત રાખવા જ પડે. ચાર ઘર્મકથા आक्षेपणी विक्षेपणी विमार्गवाधनसमर्थविन्यासाम् । श्रोतृजनश्रोत्रमनःप्रसादजननी यथा जननीम् ।।१८२।। संवेदनी च निर्वेदनी च धर्त्या कथां सदा कुर्यात् । स्त्रीभक्तचौरजनपदकथाश्च दूरात् परित्याज्या: ।।१८३।। અર્થ : ઉન્માર્ગનો ઉચ્છેદ કરવામાં સમર્થ રચનાવાળી તથા શ્રોતાઓનાં કાન અને મનને માતાની જેમ આનન્દ આપનારી આક્ષેપણી, વિક્ષેપણી, સંવેદની અને નિર્વાદની ધર્મકથા સદેવ કરવી જોઈએ તથા સ્ત્રીકથા, ભજનકથા, ચરકથા અને દેશકથા દૂરથી (મનથી પણ) ત્યજી દેવી જોઈએ. વિવેચન : હે મોક્ષમાર્ગના પથિકો, સંસાર પ્રત્યેના વૈરાગ્યને તમારે સદેવ વર્ધમાન રાખવા હોય, અવિચ્છિન્ન રાખવો હોય, તત્ત્વજ્ઞાનની ક્ષિતિજો વિસ્તારવી હોય, તત્ત્વજ્ઞાનના અતલ ઊંડાણમાં ડૂબકીઓ મારવી હોય અને મારા સમ્યગુદર્શનને સુદૃઢ તથા ઉજ્જવલ બનાવવું હોય તો પ્રતિદિન ધર્મકથા કરતા રહો. ધર્મકથાની ભાષા એવી જોઈએ કે શ્રોતાઓનાં કાન અને મન ઉલ્લસિત બને. ધર્મોપદેશ કર્ણપ્રિય જોઈએ, મનને પ્રફુલ્લિત કરનાર જોઈએ. એક માતા પોતાનાં બાળકોને જેટલા પ્રેમથી અને વાત્સલ્યથી વાતો કહે એટલા પ્રેમથી એનાથી ય વધારે વાત્સલ્યથી તમારે ધર્મોપદેશ આપવાનો છે. તમારી વાણીમાં કટુતા કે કર્કશતા ન આવી જવી જોઈએ. શ્રોતાઓને એ પ્રતીતિ થવી જોઈએ કે અમારા પ્રત્યે અપાર કરુણા અને વાત્સલ્ય ધરાવીને, અમારા હિત માટે આ મહાત્મા અમને ધમપદેશ આપે છે.” ધમપદેશના મુખ્ય ચાર પ્રકાર છે૧. આપણી ધર્મકથા ૨. વિક્ષેપણી ધર્મકથા For Private And Personal Use Only
SR No.008922
Book TitlePrashamrati
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2008
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Religion
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy