SearchBrowseAboutContactDonate
Page Preview
Page 331
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૧૦. પ્રશમરતિ પ્રાચીન ગ્રંથોમાં બીજી રીતે પણ ૧૭ પ્રકારના સંયમ બતાવાયેલો છે : પૃથ્વી-પાણી-વાયુ-અગ્નિ-વનસ્પતિકાયના જીવોની રક્ષા, બેઇજિય-તંઇન્દ્રિયચઉરિન્દ્રિય અને પંચેન્દ્રિય જીવોની રક્ષા, તેને “જીવાય-સંયમ' કહેવાય. પુસ્તકાદિનો પરિગ્રહ ન રાખવો, તેને “અજીવકાયસંયમ' કહેવાય. પ્રેક્ષાસંયમ, અપ્રેક્ષાસંયમ, પ્રમાર્જનાસંયમ અને પારિષ્ઠાપનાસંયમ-આ ચાર પ્રકારનો સંયમ અને મન-વચન-કાયાનો સંયમ. આ રીતે સત્તર પ્રકારના સંયમનું પાલન મુનિજનો કરે. 9. ત્યાગ बान्धव-धनेन्द्रियसुखत्यागात् त्यक्तभयविग्रहः साधुः । त्यक्तात्मा निर्ग्रन्थस्त्यक्ताहंकारममकारः ।।१७३ ।। અર્થ : કુટુંબ, ધન અને ઇન્દ્રિયસંબંધી સુખનો ત્યાગ કરવાથી જેણે ભય અને કલહનો ત્યાગ કર્યો છે તથા અહંકાર અને મમકારને જેણે ત્યજી દીધા છે, તે ત્યાગમૂર્તિ સાધુ નિર્ચસ્થ કહેવાય. વિવેચન : હે મુનિરાજ! તમે કર્મશત્રુને રણમાં રોળી નાંખવા જંગે ચડ્યા છો ને? અનાદિકાળથી તમારા આત્મા પર પગદંડો જમાવીને બેઠેલાં એ કર્મોને આત્મભૂમિ પરથી હાંકી કાઢવાનો નિર્ધાર કરીને તમે ત્યાગના-મહાત્યાગના માર્ગે પ્રયાણ કર્યું છે ને? તમે સ્વજનોને ત્યજી દીધાં છે, તમે સોના-રૂપા અને ઝવેરાતનો ત્યાગ કરી દીધો છે. તમે વૈષયિક સુખોનો ત્યાગ કરી દીધો છે...ફારણ કે, આ બધાં તત્ત્વોનો ત્યાગ કર્યા વિના, આઠ-આઠ પ્રચંડ શત્રુઓ સામે તમે વીરતાથી ઝઝૂમી શકો નહી, શત્રુઓને પરાજિત કરી શકો નહીં. મહાત્મનું, જરા આટલું આત્મનિરીક્ષણ કરીને કહેશો ખરા કે ધન, કુટુંબ અને વૈષયિક સુખનો ત્યાગ કર્યા પછી અને આ શ્વેત વસ્ત્રો ધારણ કર્યા પછી તમારો અહંકાર ઓગળ્યો ખરો? તમારી મમતા મોળી પડી ખરી? “હું” અને મારું' આ મોહરાજના મંત્રનો જાપ જપવો બંધ થયો છે ખરો? વ્યસ્ત રીતે કે અવ્યક્ત રીતે મોહરાજનો મંત્ર જો જપતા રહ્યા તો તમારો ક્યારે પણ કર્મશત્રુઓ પર વિજય નહીં થાય, ભલે તમે જિદગીપર્યત શ્રમણજીવનના યુદ્ધમેદાન પર પડ્યા રહો...તમે વિજયી નહીં બની શકો. તમારા કર્મજન્ય વ્યક્તિત્વને વિસરી જાઓ. પુણ્યકર્મોના ઉદયથી તમારું For Private And Personal Use Only
SR No.008922
Book TitlePrashamrati
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2008
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Religion
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy