SearchBrowseAboutContactDonate
Page Preview
Page 329
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૦૮ પ્રશમરતિ ૬. હે શ્રમણો અને શ્રમણી! તમારે સંઘ અને સમાજના સંપર્કમાં જેમ બને તેમ ઓછું આવવાનું છે, તમારો સમાજ-સંપર્ક રાગનું કારણ ન બનવા જોઈએ. કોઈ પણ જીવ સાથે મમત્વ ન બંધાઈ જાય, તેની તમારે તકેદારી રાખવાની છે. રાગી-દ્વેષી જીવોના સંપર્કમાં, તમે રાગ-દ્વેષી ન બની જાઓ, એની જાગૃતિ રાખજો. તમારી વિચારસૃષ્ટિમાં રાગ-દ્વેષ અને મોહનાં ભૂત ભમતાં ન થઈ જાય, એની કાળજી તમારે રાખવાની છે. આ રીતે ‘ભાવશૌચ' નામનો યતિધર્મ વર્ણવવામાં આવ્યો છે. ૫. સંયમ पञ्चाश्रवाद्विरमणं पञ्चेन्द्रियनिग्रहश्च कषायजयः । दण्डत्रयविरश्चेति संयमः सप्तदशभेदः ।।१७२ ।। અર્થ : પાંચ આશ્રવોથી વિરતિ, પાંચ ઇન્દ્રિયોનો નિગ્રહ, ચાર પાયા પર વિજય અને ત્રણ દંડ (મનદંડ, વચનદંડ, કાયદંડ) થી વિરામ-આ સત્તર પ્રકારનાં સંયમ છે. વિવેચન : સંયમ એટલે પાપસ્થાનોથી સમ્યગુ વિરામ પામવો. મુનિજનોને આવાં સત્તર વાપસ્થાનોથી વિરામ પામવાનો હોય છે. એટલે કે એ સત્તર પાપસ્થાનોનો ત્યાગ કરવાનો હોય છે. પાંચ આશ્રવોની વિરતિ : જેના કારણે કર્મપ્રવાહ આત્મભૂમિ પર વહી આવે તેને “આશ્રવ' કહેવામાં આવે છે. આવા આશ્રવો અસંખ્ય હોય છે, પરંતુ તેમાં મુખ્ય પાંચ આશ્રવ હોય છે : ૧, પ્રાણાતિપાત : પ્રાણા એટલે જીવ અને અતિપાત એટલે નાશ. જીવોનો નાશ કરવાથી પાપકર્મો આત્મામાં વહી આવે છે, અર્થાત્ જીવાત્મા પાપકર્મો બાંધે છે, માટે “હું ત્રિવિધ-ત્રિવિધ પ્રાણીનો નાશ નહીં કરું.’ આવી પ્રતિજ્ઞા કરવી તે પહેલા પ્રકારનો સંયમ છે. ૨. મૃષાવાદ : મૃપા એટલે અસત્ય, અસત્ય બોલવાથી પાપકર્મો બંધાય છે. માટે હું ત્રિવિધ-ત્રિવિધે મૃયા નહીં બોલું.' આવી પ્રતિજ્ઞા કરવી તે બીજા પ્રકારના સંયમ છે. ૩. અદત્તાદાન : અદત્ત એટલે નહીં અપાયેલું. નહીં અપાયેલું લેવાથી પાપકમાં બંધાય છે, માટે “હું ત્રિવિધ-ત્રિવિધ અદત્તાદાનનો ત્યાગ કરું છું...ચોરીનો ત્યાગ કરે છું.” આવી પ્રતિજ્ઞા કરવી તે ત્રીજા પ્રકારનો સંયમ છે. ૪, મૈથુન : મૈથુન એટલે અબ્રહ્મ “હું ત્રિવિધ-ત્રિવિધ મૈથુનસેવન નહીં કરું.' આવી પ્રતિજ્ઞા કરવી તે ચોથા પ્રકારનો સંયમ છે. ૫. પરિગ્રહ : જડ-ચેતન પદાર્થોનો સંગ્રહ અને એના પર મમત્વ For Private And Personal Use Only
SR No.008922
Book TitlePrashamrati
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2008
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Religion
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy