SearchBrowseAboutContactDonate
Page Preview
Page 324
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૦૩ મૃદુતા જ્ઞાનસમૃદ્ધ, શ્રદ્ધાવંત અને ચારિત્રવંત મહાપુરુષો પ્રત્યે તમારા હૈયે ત્યારે જ અહોભાવ જાગશે કે જ્યારે તમે માનવિજેતા બનશો! કોઈ ને કોઈ શક્તિ, કોઈ ને કોઈ વિશિફ્ટ કે કોઈ ને કોઈ પદસત્તાને લઈને જો તમે ગર્વથી ઉન્મત્ત હશો તો તે વિનયધર્મની આરાધના નહીં કરી શકો. પૂજ્ય પુરુષો પ્રત્યે આદરભાવ તો નહીં, એમનો ઔપચારિક વિનય પણ નહીં કરી શકો. અભિમાની મનુષ્ય ગુરુજનોનો અનાદર કરે છે. અહંકારને ધારણ કરતાં તે અન્ય જીવોનો તિરસ્કાર કરે છે. આત્મકલ્યાણની કેડીએ આવા જીવાત્માઓ ચાલી શકતા નથી. “આત્મા’ સાથે એનો કોઈ સંબંધ જ નથી હોતો. એનો સંબંધ હોય આત્માથી ભિન્ન બાહ્ય દુનિયા સાથે! કાં તો એ જાતિ'ના મદથી મત્ત હોય છે, કાં તો ‘ઉચ્ચ કુલ'નું અભિમાન લઈને ફરતા હોય છે! રૂપનો ગર્વ કે બળને ગર્વ એને અક્કડ બનાવતો હોય છે. જો લાભાન્તરાય કર્મના ક્ષયોપશમથી ધાર્યો લાભ પ્રાપ્ત થતો હશે તો એનું પણ અભિમાન ધારણ કરશે! વિચક્ષણ બુદ્ધિ અને વિશદ શાસ્ત્રજ્ઞાનનું પણ અભિમાન! ગ્રન્થકાર મહર્ષિ આવા જીવોને મદાન્ત' કહે છે! મદાધ જીવો આત્મતત્વને સમજી શકતા નથી. પરમાત્મતત્ત્વ સાથે અમને કોઈ સંબંધ હોતો નથી. તેઓ મોક્ષમાર્ગે તો નહીં, સંસારના માર્ગે પણ સુખ-શાન્તિ અને સમૃદ્ધિ પ્રાપ્ત કરી શકતા નથી. જો તમારું હૃદ્ય મૃદુ હશે, તમે વિનમ્ર હશો, તો જ તમે વિનીત બની શકવાના. વિનીત બનશો તો જ અનન્ત ગુણસમૃદ્ધિ તમે પ્રાપ્ત કરી શકવાના. સ્વાભિમાન ત્યજી દો. પરપદાર્થોના માધ્યમથી કોઈ અભિમાન કરવા જેવું નથી. સ્વોત્કર્ષ અને પરોપકર્ષ દ્વારા તમે પાપકર્મોથી બંધાશો. પ્રગાઢ પાપકર્મોથી બંધાશો..સાધનાના માર્ગથી ભ્રષ્ટ થશો. અભિમાની જીવો મોક્ષમાર્ગે ચાલી શકતા જ નથી. વિનમ્ર બનો. વિનમ્ર બનવા તમારું આંતરનિરીક્ષણ કરો. તમે જો તમારી જાતનું સ્વસ્થતાથી-એકાગ્રતાથી નિરીક્ષણ કરશો તો તમને અનન્ત ઊણપો તમારી જાતમાં દેખાશે! પાર વિનાના દોષો જ્યારે તમે જોશો ત્યારે તમને તમારી જાત વામણી લાગશે. વિનમ્રતા કેળવવા માટે સ્વદોષદર્શન કરે, પરગણદર્શન કરો. સ્વદોષદર્શનથી સ્વોત્કર્ષ ઓગળશે અને પરગુણદર્શન કરવાથી પાપકર્ષની કલ્પના નાશ પામશે. સ્વોત્કર્ષની તીવ્ર લાગણી અને પાપકર્ષની ઉત્કટ લાગણી તમને વિનમ્ર બનવા દેતી નથી. આત્માની યોગ્યતાનાં દ્વાર ખૂલવા દેતી નથી. સ્વોત્કર્ષની લાગણીમાંથી For Private And Personal Use Only
SR No.008922
Book TitlePrashamrati
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2008
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Religion
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy