SearchBrowseAboutContactDonate
Page Preview
Page 315
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૯૪ પ્રશમરતિ સાધુજીવનની ઋદ્ધિ હોય છે માન-સન્માન અને ભક્તો! “મારા આટલા શ્રીમંત ભક્તો છે મારા ઉપદેશથી આટલાં મંદિરો બંધાયા છે, આટલા ઉપાશ્રયો, બંધાયાં છે...' આવી મનોદશામાં વૈરાગ્યને સ્થાન કેવી રીતે મળે? શાતાગારવ એટલે સુખશીલતા. જેમ ગૃહસ્થવર્ગમાં સુખશીલતા વધતી જાય છે તેમ શ્રમણ સંઘમાં પણ સુખશીલતા વધતી જાય છે. “અમારે આવી સગવડતા જોઈએ...અમારે આવી અનુકૂળતા જોઈએ. આવું હવા-ઉજાસવાળું મકાન જોઈએ, અમારે વિહારમાં આવી સગવડતા જઈએ.. અમારે આવાં પાત્ર જોઈએ,. આવાં જ અનુકળ ઉપકરણો જોઈએ...' કોઈ પ્રતિકુળતા સહવી નથી. સુખપૂર્વક જીવવું છે...! પછી વૈરાગ્યભાવ ક્યાંથી પુષ્ટ થાય? રાગ અને દ્રુપ જ પુષ્ટ થાય. પરીષહો સહવા જ નથી. બાવીસ પરીષહોમાંથી એક પણ પરીષહ સહવી નથી! સ્વેચ્છાએ પરીષહ સહવા જતો નથી, અનિચ્છાએ આવી પડે છે કોઈ પરીષહતો એનાથી દૂર ભાગું છું. એ સંકટમાંથી બચવા ફાંફાં મારું છું. પરીષહોને “કટ્ટર દુશ્મન' માનું છું. આમ, ઇન્દ્રિયોની પરવશતામાં, કષાયોની ઉદ્વિગ્નતામાં, ગારવોની રસિકતામાં અને પરીષહો સહવાની કાયરતામાં મન વ્યાકુળ જ રહ્યા કરે છે. ચંચળ અને અસ્થિર રહે છે... કેવી રીતે વૈરાગ્યમાર્ગે પ્રગતિ કરું? કેવી રીતે વૈરાગ્યની અપૂર્વ મસ્તીમાં ઝૂકું? સર્વવિરતિ' કે જે પ્રાપ્ત થવી ઘણી દુર્લભ છે, તે મળ્યા પછી પણ વૈરાગ્યભાવ પર વિજય મેળવવો. અર્થાત્ આત્માના પ્રદેશ પ્રદેશે વૈરાગ્યભાવને સ્થાપિત કરી દેવો ઘણો મુશ્કેલ છે. ઘણું દુષ્કર કાર્ય છે. ઇન્દ્રિયોને જીતવા જતાં, કપાયો પ્રબળ બને છે અને કપાયોને દબાવવા જતાં ગારવા ગળચી પડે છે. એ ગારવો સાથે લડવા જતાં, પરીષહ પછાડી દે છે. કેવી કર ણતા છવાઈ ગઈ છે. સાધક-જીવનમાં? વિજયબા ઉપાય तस्मात् परीसहेन्द्रियगौरवगणनायकान् कषायरिपून् । शान्तिवलमार्दवार्जवसन्तोषः साधयेद्धीरः ।।१६५।। અર્થ : માટે, ધીર પુરુપે પરીષહ-ઇન્દ્રિય અને ગારવના સમૃદના નાયક કપાયશત્રુઓને, ક્ષમા-માદેવ, આર્જવ અને સંતાપરૂપ સંન્યથી જીતવા જઈએ. For Private And Personal Use Only
SR No.008922
Book TitlePrashamrati
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2008
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Religion
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy