SearchBrowseAboutContactDonate
Page Preview
Page 311
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૯૦. પ્રશમરતિ સાધારણ વાત નથી. “હું કોણ છું? ક્યાંથી આવ્યો? ક્યાં જઈશ? આ સૃષ્ટિ શા માટે? સૃષ્ટિ કેવી છે? સૃષ્ટિમાં આવી વિષમતા કેમ?...” આવી અનેક જિજ્ઞાસાઓ પ્રગટી. અને ત્યાં - મને ધર્મતત્ત્વનું રહસ્ય સમજાવનારા પરમ ઉપકારી ગુરુદેવ મળી ગયા! આળસ ખંખેરીને, મદ-માન ત્યજીને, ભય-શોકની લાગણીઓથી મુક્ત થઈને અને બીજાં બધાં કામ પડતાં મૂકીને મેં સદ્ગુરુના ચરણે બેસી ધર્મશ્રવણ કર્યું. આવા ચારિત્રવંત, પ્રજ્ઞાવંત અને કરુણાવંત ઉપકારી ગુરુદેવ મળવા એ મહાન પુણ્યોદયથી જ શક્ય બને. મળવા છતાં એમનાં ચરણોમાં વિનયપૂર્વક જઈને ધર્મશ્રવણ કરવું ઘણું દુર્લભ છે. ગૃહકાર્યોની વ્યગ્રતા, આળસ, મોહ, અવજ્ઞા, અભિમાન, કૃપતા, ભય, શોક, અજ્ઞાન, કુતુહલ આદિ કારણો ધર્મશ્રવણમાં બાધક બનતાં હોય છે. મારો પરમ પુણ્યોદય કે મને આ કારણો ન નડ્યાં અને ધર્મશ્રવણ કર્યું. જેમ જેમ ધર્મશ્રવણ કરતો ગયો, તેમતેમ જીવાજીવાદિ તત્ત્વોનો બોધ થતો ગયો અને “સર્વજ્ઞભાષિત તત્ત્વો જ સાચાં હોય.” આ શ્રદ્ધા મારા અન્તરાત્મામાં જાગી.. ધર્મશ્રવણ તો ઘણા જીવો કરે છે, પરન્તુ બધાને “બોધિ' ની પ્રાપ્તિ નથી થતી. સમ્યગ્દર્શન અને સમ્યગુજ્ઞાનની પ્રાપ્તિ સહુ જીવોને નથી થતી. સેંકડો ભવોની આરાધના-સાધના પછી એ બોધિ પ્રાપ્ત થાય છે. મને એ બોધિલાભ થઈ ગયો છે! મને જિનોત તત્ત્વોમાં કોઈ શંકા નથી...મારું મન નિ:શંક બની ગયું છે...મને હવે બીજા અસર્વજ્ઞશાસનનાં તત્ત્વોનું કોઈ આકર્ષણ રહ્યું નથી. ઘણો ઘણો દુર્લભ બોધિલાભ મને વિના પ્રયત્ન થયો છે. હે પરમાત્મનું, મારી આ બોધિ ક્યારે ય ખોવાઈ ન જાય, એવી મારા પર કૃપા કરજે. વિરતિની દુર્લભતા तां दुर्लभा भवशतैर्लब्ध्वाऽप्यतिदुर्लभा पुनर्विरतिः । મોદ્રારા Ifપથવિત્નોના પરિવવાથ્થી ૧૬રૂ I અર્થ : સેંકડો ભવોમાં તે દુર્લભા બોધિ પ્રાપ્ત કર્યા પછી પણ, માંહથી, રાગથી ઉન્માર્ગદર્શનથી તથા ગૌરવવશતાથી વિરતિ દિશવિરતિ-સર્વવિરતિ, અતિ દુર્લભ છે. વિવેવન : મનુષ્યને સમજાઈ જાય કે “સંસારનાં સુખો ત્યાજ્ય છે અને મોક્ષનાં સુખ ઉપાદેય છે. સંસાર દુઃખરૂપ છે અને મોક્ષ જ સુખરૂપ છે. તે For Private And Personal Use Only
SR No.008922
Book TitlePrashamrati
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2008
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Religion
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy