SearchBrowseAboutContactDonate
Page Preview
Page 289
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૩૮.. પ્રશમરતિ કોઈ એક અવસ્થા કાયમ નથી રહેતી. આ વાત સમજાવેલી હોય તો ગમતી. દેહાવસ્થા જ્યારે બદલાય ત્યારે મન અશાન્ત ન બને. ૭. યૌવન : યૌવનનો તો ઉન્માદ જ એવો હોય છે કે યવનને અનિત્ય માનવું.. યૌવનકાળને સંધ્યાના રંગ જેવો ક્ષણિક માનવો...ઘણું મુશ્કેલ કામ છે. છતાં, જો તમે યૌવનના ઉંબરે જ યૌવન તરફ અનિત્યતાની દૃષ્ટિથી જોશો તો જ્યારે યૌવનના રંગ ઊડી જશે ત્યારે અશાન્ત નહીં બનો, ઉદ્વિગ્ન નહીં બના. ૮. જીવન : ગમે ત્યાં અને ગમે ત્યારે જીવનનો દીપ બુઝાઈ શકે છે! જીવનના વ્યામોહથી મુક્ત થવા માટે, જીવન પ્રત્યે મમતારહિત બનવા માટે આ જીવન અનિત્ય છે, ક્ષણભંગુર છે...' આ ભાવનાથી ભાવિત થાઓ...મોતના સમયે તમે વિહૂવળ નહીં બનો! તમારી-પ્રસન્નતા મૃત્યુસમયે પણ અખંડ રહેશે. - આ આઠ તત્ત્વ તરફ, અનિત્યતાના રંગે રંગાયેલું મન રાગી-દ્વેષી નહીં બને. આવું મન પરમાત્મધ્યાનમાં અને તત્ત્વરમણતામાં રસલીન બની શકે. અાણ-oભાવના जन्मजरामरणभयैरभिद्रुते व्याधिवेदनाग्रस्ते। जिनवरवचनादन्यत्र नास्ति शरणं क्वचिल्लोके ।।१५२ ।। અર્થ : જન્મ, જરા અને મરણના ભયથી અભિભૂત તથા રોગ અને વેદનાથી ગ્રસ્ત લોકોમાં (જીવસૃષ્ટિમાં) તીર્થંકરનાં વચન સિવાય બીજું કાંઈ જ શરણ નથી. વિવેવન : સમગ્ર જીવસૃષ્ટિ ભયાકાન્ત છે કોઈ ને કોઈ ભયથી! પછી તે ભય વ્યક્ત હોય કે અવ્યક્ત હોય, જીવાત્માઓ વ્યાકુળ છે. અસંખ્ય પ્રકારના રોગો અને વિવિધ શારીરિક-માનસિક વેદનાઓથી જીવાત્મા સદૈવ ઉદ્વિગ્ન છે... આવી જીવસટિમાં તમે ક્યાં જશો શરણ લેવા? ક્યાં જશો સહારો લેવા? સ્વયં દુઃખી, સ્વયં વેદનાગ્રત જીવાત્મા બીજાને શરણ કેવી રીતે આપી શકું? બીજાનો સહારો કેવી રીતે બની શકે? સ્વયં અશરણ મનુષ્ય...સ્વયં બેસહારા મનુષ્ય બીજા જીવને શરણ ન આપી શકે, સહારો ન આપી શકે. સંસારમાં ક્યાં જીવાત્માને સંપૂર્ણ સુખ છે? પૂર્ણજ્ઞાની મહાજ્ઞાની મહાપુરુષોએ સંસારનું સ્વરૂપદર્શન યથાર્થ જ કરાવ્યું છે... “સંસાર દુઃખરૂપ છે?” જો તમે દુઃખોથી ગભરાઈને, દુઃખોથી ભયભીત થઈને, સંસારની કોઈપણ વ્યક્તિ પાસે જ શો, તમને તે શરણ નહીં આપે, તમને તે દુઃખોથી નહીં બચાવી શકે. For Private And Personal Use Only
SR No.008922
Book TitlePrashamrati
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2008
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Religion
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy