SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રપ૪ પ્રશમરતિ નિરપેક્ષ નથી હોતા, સાપેક્ષ હોય છે. વ્યક્તિની અપેક્ષાએ વિધિ નિષેધ બને છે, નિષેધ વિધિ બને છે. ગ્રન્થકારનું સારભૂત કથનીય આ છે કે જે જ્ઞાન-શીલ અને તપમાં સહાયક બને છે અને આંતર-બાહ્ય દોષોને દૂર કરનાર હોય છે તે, સાધુ માટે કથ્ય છે. ક્યારેક ઉત્સર્ગમાર્ગથી જે અકથ્ય હોય તે અપવાદમાર્ગ કલ્બ બની જાય છે. સાધક આત્માને ઉત્સર્ગનું અને અપવાદનું જ્ઞાન હોવું જરૂરી હોય છે. એવું જ્ઞાન ન હોય ત્યાં સુધી એવા જ્ઞાની પુરુષોની નિશ્રામાં રહેવું આવશ્યક હોય છે. यत्पुनरुपघातकरं सम्यक्त्वज्ञानशीलयोगानाम् । तत्कल्प्यमप्यकल्य्यं प्रवचनकुत्साकरं यच्च ।।१४४ ।। અર્થ : જે વસ્તુ સમ્યગુદર્શન જ્ઞાન-શીલ અને સંયમયોગનો ઉપઘાત કરનારી છે અને જિનશાસનની નિન્દા કરનારી છે, તે વસ્તુ કપ્ય હોવા છતાં અકથ્ય છે! વિવેચન : જે વસ્તુ સાધુના સંયમની વિઘાતક ન હોય, પરન્તુ જિનશાસનને નુકસાન કરનારી હોય તે વસ્તુ અકથ્ય છે. જે વસ્તુ શાસ્ત્રદૃષ્ટિથી કણ્ય હોય, પરંતુ સાધુના સંયમની વિઘાતક હોય તે વસ્તુ તે સાધુ માટે અકથ્ય ગણાય. જે પરિવારોમાં માંસભક્ષણ થતું હોય, મદ્યપાન થતું હોય, એવા પરિવારોમાં જે સાધુ ભિક્ષા લેવા જાય, ભલે તે અભક્ષ્ય અપેય ગ્રહણ ન કરે, પોતાને કલ્પતી ભિક્ષા લે, છતાં સમાજમાં શ્રમણોની નિંદા થાય કે “અહિંસાનું વ્રત ધરનારા આ શ્રમણો હીન કુલોમાં ભિક્ષા માટે જાય છે... અહિંસક અને નિર્બસની સમાજમાં જિનશાસનની નિંદા થાય. તેથી એ સમાજમાં જૈન શ્રમણ સંસ્કૃતિ પ્રત્યે આદર ન રહે. એ સમાજના સ્ત્રી-પુરુક્ષો શ્રમણાસંઘમાં પ્રવેશી આત્મકલ્યાણની સાધના ન કરી શકે. માટે એવા કુળમાં-પરિવારોમાં સાધુએ ભિક્ષા માટે ન જવું જોઈએ. અલબત્ત, કળમાં નહીં જવાની જિનાજ્ઞા નથી, પરંતુ એવા કુળમાં જવાથી જિનશાસનની નિંદા થતી હોય તો ન જવું જોઈએ, એવી જિનાજ્ઞા છે. સંયમને-મહાવ્રતોને ક્ષતિ ન પહોંચતી હોય છતાં જો જિનશાસનની નિંદા થવાની, અવહેલના થવાની સંભાવના લાગતી હોય તો તેવી પ્રવૃત્તિ ન કરવી જોઈએ. આ વિવેકદૃષ્ટિ છે. ક્યારેક સંયમની ક્ષતિને સહન કરીને પણ જિનશાસનની અવહેલનાથી બચવું જોઈએ. અર્થાતુ શાસનમલિનતા ન થવા દેવી જોઈએ. સંયમ કરતાં શાસન મહાન છે. શાસન છે તો સંયમ છે, માટે For Private And Personal Use Only
SR No.008922
Book TitlePrashamrati
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2008
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Religion
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy