SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૨૦. પ્રશમરતિ ૭. સર્વ ભયો પર વિજય મેળવે છે, ૮. નિન્દા-તિરસ્કારમાં સ્વસ્થ રહે છે, તે મહાત્મા જે અપૂર્વ સુખની અનુભૂતિ કરે છે, તે અનુભૂતિ રાગની પ્રચંડ આગમાં સળગતો જીવાત્મા કેવી રીતે કરી શકે? ન જ કરી શકે. કહો, આ અપૂર્વ સુખ અનુભવવાનો રાજમાર્ગ છે! ચાલવું છે. આ માર્ગ? આ નહીં અનુભવેલા સુખનું આકર્ષણ જાગે છે હૃદયમાં? જો આકર્ષણ જાગી જાય તો આ માર્ગે પ્રયાણ થઈ જાય. આ માર્ગે ચાલવાની શક્તિ પણ આત્મામાં પ્રગટી જાય. “મારે હવે રાગજન્ય સુખો નથી જોઈતાં, આ સ્પષ્ટ નિર્ણય આત્મસાક્ષીએ થઈ જવો જોઈએ. “મારે હવે આત્માનું સ્વાધીન સુખ મેળવવું જ છે...” આ દૃઢ સંકલ્પ થઈ જવો જોઈએ. આ સંકલ્પબળને સજીવન રાખીને, ઉપર બતાવેલી આઠ વાતોને સિદ્ધ કરવાના પુરુષાર્થમાં લાગી જવું જોઈએ. આવો પુરુષાર્થ માત્ર જિનશાસનના શ્રમણજીવનમાં જ શક્ય બની શકે. શ્રમણજીવન સ્વીકારવા માત્રથી આ પુરુષાર્થ પૂરો થઈ નથી જતો, પુરુષાર્થનો પ્રારંભ થાય છે! પ્રારંભેલા પુરુષાર્થની પૂર્ણાહુતિ ભલે આ જીવનના અંતે ન થાય, એ માટે ભલે પાંચ-દસ જીવન પૂરાં થઈ જાય, પરન્તુ સફળતા મળવી જોઈએ. અપૂર્વ...અદ્ભુત પ્રશમસુખની શાશ્વતું સરવાણી ફૂટવી જોઈએ. વૈષયિક. ભૌતિક...દૈવિક સુખોની અભિલાષાને નિર્મળ કરીને આત્માના શાશ્વતું અને સ્વાધીન સુખની પરિશોધ આરંભી દઈ આ માનવજીવનની શ્રેષ્ઠ સફળતા પ્રાપ્ત કરી લઈએ. - પરમ સુખી પ્રશાખાભા सम्यग्दृष्टिानी ध्यानतपोवलयुतोऽप्यनुपशान्तः । तं लभते न गुण यं प्रशमगुणमुपाश्रितो लभते ।।१२७ ।। અર્થ : સમ્યગદષ્ટિ, જ્ઞાની, ધ્યાન અને તપબલથી યુક્ત (સાધકો પણ જો ઉપશાન્ત ન હોય તો તે જે ગુણ પ્રાપ્ત નથી કરતો તે ગુણ પ્રશમગુણવાળા (સાધકો મેળવે છે. વિન : તમે મિથ્યા માન્યતાઓથી મુક્ત થયા છો? તમને સમ્યગદર્શનની આંતર-પ્રતીતિ થઈ છે? તો પછી તમે આટલા બધા અશાત્ત કેમ છો? આટલી બધી કષાય-પરવશતા કેમ છે? આટલી બધી વાસનાવિવશતા શાથી છે? શું તમે એમ સમજ્યા છો કે “અમારી પાસે સમ્યગ્દર્શન છે એટલે અમારો મોક્ષ For Private And Personal Use Only
SR No.008922
Book TitlePrashamrati
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2008
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Religion
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy