SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ર પરમેષ્ઠિ વંદના : ગ્રંથપ્રયોજન પ્રશમભાવમાં જ કરી શકે, અન્યત્ર નહીં'. માટે તેઓ આ ગ્રંથની રચના કરવા ઉલ્લસિત અને ઉત્સાહિત બન્યા છે. ક્ષણિક વૈરાગ્ય નહીં, ક્ષણિક પ્રશમ નહીં, દિવસ ને રાત, મહિના અને વર્ષી... અરે, પૂર્ણ જીવનને વૈરાગ્યરંગે રંગી નાંખવાનું છે... પ્રશમ રસથી છલોછલ ભરેલા સરોવરમાં નિમગ્ન રહેવાનું છે... આ જ એક આંતરપ્રસન્નતા પ્રાપ્ત કરવાનો માર્ગ છે; તે માર્ગ ‘જિનશાસન’ જ બતાવી શકે એમ છે! માટે ગ્રંથકાર કહે છે : ‘હું જિનશાસનમાંથી કંઈક કહીશ.' કેવું પરમકલ્યાણકારી જિનશાસન છે! કેવું મહાન મંગલકારી જિનશાસન છે ! વિવિધ વિટંબણાઓમાં ગૂંગળાઈ રહેલા... અકળાઇ રહેલા... વિક્ષુબ્ધ બની ગયેલા મનુષ્યોને પરમ આશ્વાસનભૂત, પરમ આધારભૂત અને પરમ વિશ્રામરૂપ હોય તો એક જ આ જિનશાસન છે! ‘જિનશાસન’ એટલે શું? જિનશાસન એ કોઈ પંથનું નામ નથી, એ કોઈ સંપ્રદાયનું નામ નથી, કોઈ ગચ્છનું કે સમુદાયનું નામ નથી! જિનશાસન એટલે દ્વાદશાંગી !જિનશાસન એટલે શ્રુતજ્ઞાનની પરમપાવની ભાગીરથી! જિનશાસન એટલે સમ્યજ્ઞાનનો મહાસાગર! આ જિનશાસન જ પ્રશમરસની લહાણી કરી શકે એમ છે... એની અભિરુચિ જ આ છે... જીવોને પ્રશમરતિમાં ભીંજાયેલા જ રાખવા. વૈરાગ્યરસમાં નિમગ્ન રાખવા.’ જિનશાસનના જ્ઞાનસાગરનું અવગાહન કરનાર બહુશ્રુત અજ્ઞાત ટીકાકાર કહે છે : “सर्वाश्रवनिरोधैकरसं हि जैनं शासनम् " જિનશાસનને એક જ વાતનો ૨સ છે કે જીવાત્માઓના સર્વે આશ્રવાનાં દ્વાર બંધ કરી દેવાં! કારણ કે એ વિના આંતરસુખનો અનુભવ સંભવિત જ નથી. આ જિનશાસનમાંથી ગ્રંથકાર ‘કંઈક જ... થોડુંક જ...' કહેવાનું કહે છે! બધું તો કહી પણ કોણ શકે! હૃદયમાં કેવળજ્ઞાન હોય અને મુખમાં હજાર જીભ હોય... અને આયુષ્ય કરોડ વર્ષનું હોય... તો ય સમસ્ત જિનશાસનને કહેવું સંભવિત નથી... એવું ગહન, ગંભીર અને અનન્ત જિનશાસન છે! દ્વાદશાંગીનું સંપૂર્ણ જ્ઞાન પામી શકાય, પરંતુ સંપૂર્ણ કહી ન શકાય! કંઈ વાંધો નહીં, થોડું પણ અમૃત છે ને! પ્રશમામૃતનાં બિંદુ પણ ગજબ ઉપકાર કરે છે...! બસ, મુમુક્ષુ આત્માઓનાં હૃદયમાં એ અમૃતબિંદુઓ પહોંચવા દો, For Private And Personal Use Only
SR No.008922
Book TitlePrashamrati
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2008
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Religion
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy