SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૧૪ પ્રશમરતિ જો તમારે ભરપૂર સુખ મેળવવું છે, અનુભવવું છે, તો તમે રાગરહિત બનો, દ્વેષરહિત બનો! એટલે કે વીતરાગ બની જાઓ, એમ નથી કહેતો. તમે થોડી ક્ષણો માટે “મધ્યસ્થ' બની જાઓ. થોડી ક્ષણો માટે રાગ વિનાના અને દ્વેષ વિનાના બની જાઓ! એ ક્ષણોમાં તમે તમારામાં ડૂબી જાઓ! આત્મભાવમાં ડૂબકી મારી દો...એ ક્ષણોમાં તમે જે સુખનો અનુભવ કરશો તે અપૂર્વ હશે! એ સુખનું સંવેદન પ્રગાઢ હશે! સ્પર્શેન્દ્રિયના પ્રિય વિષયોના પ્રગાઢ આલિંગનમાંથી જન્મતા વૈષયિક શારીરિક સુખ કરતાં એ આંતરસુખ ખૂબ ખૂબ ચઢિયાતું હશે. વૈષયિક સુખની ડિગ્રી' કરતાં આંતરસુખની ડિગ્રી અનન્ત ક્રોડગણી હશે! તમે ગુણાકાર જ નહીં કરી શકો! દિવસમાં આવી મધ્યસ્થભાવની ક્ષણો પ્રાપ્ત કરો. મનને વિષયોના સંપર્કથી મુક્ત કરો. વિષયમુક્ત મનને આત્મા સાથે ભળવા દો. હા, વિષયમુક્ત મન જ આત્માને મળી શકે છે, આત્મસુખનું તમને એવું મન જ સંવેદન કરાવશે. જે ચમચો કડવા શાકથી ખરડાયેલો છે, એ ચમચ તમે મીઠા શાકમાં નાંખીને એનો સ્વાદ કરવા જાઓ, તમે મીઠાશ નહીં અનુભવી શકો. એવી રીતે વિષયાનન્દથી ખરડાયેલું મન આત્માનન્દનો અનુભવ કરાવવા માટે સમર્થ નથી બનતું. થોડી ક્ષણો માટે તમે મનને વિષયોથી સર્વથા મુક્ત કરો, એકદમ લૂછીને સાફ કરી નાંખો, પછી એ મનને અંતરાત્મા સાથે જોડો. અંતરાત્મામાં પડેલા અપાર.... અનન્ત સુખનું “સમ્પલ' તમને ચાખવા મળશે! પછી એવી મધ્યસ્થ ભાવની ક્ષણો વધારવી, તે તમારું કામ છે. રાગદશામાં અનુભવાતા વૈષયિક સુખો કરતાં મધ્યસ્થદશામાં અનુભવાતું આંતરસુખ તમને ચઢિયાતું લાગે, ઉચ્ચતમ્ લાગે, શ્રેષ્ઠ લાગે તો તમે મધ્યસ્થદશાને વધારવા પ્રયત્ન કરવાના જ, રાગરહિત અને દ્વેષરહિત આત્મદશાનો કાળ જેમ જેમ વૃદ્ધિ પામતો જશે, તેમ તેમ તમારા આંતરસુખનો મહાસાગર ઊછળવા માંડશે! એક જીવન...એક ભવ....એવો આવશે... કે જે જીવનમાં તમે શાશ્વત્કાળ માટે વીતરાગ બની જવાના, તમારું સુખ શાશ્વતુ બની જવાનું. રાગીના સખ કરતાં વીતરાગીનું સુખ ખૂબ ખૂબ ચઢિયાતું છે... કોઈપણ જાતના પરિશ્રમ વિના....મળી જનારું છે, માટે વીતરાગી બનો! રાગ-દ્વેષ રહિત અવસ્થા પ્રાપ્ત કરવાનો પુરુષાર્થ કરો. For Private And Personal Use Only
SR No.008922
Book TitlePrashamrati
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherMahavir Jain Aradhana Kendra Koba
Publication Year2008
Total Pages610
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Religion
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy